વિપુલ ચૌધરીના રિમાન્ડ કોર્ટે ના મંજૂર કર્યા, આંજણા ચૌધરી સમાજમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 17:23:04

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી  અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેઓને આજે મહેસાણાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ પોલીસની એક ટીમ વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લઈ ગઈ હતી. જ્યાં વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલે વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સાથે આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાની રજૂઆત કરીને રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટમાં બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ વિપુલ ચૌધરીને વધુ રિમાન્ડની અરજી નામંજૂર કરીને તેઓને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપુલ ચૌધરીની 800 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.


વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર


વિપુલ ચૌધરીની મહેસાણાની દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરિતી આચરવાના આરોપ હેઠળ છેલ્લા 7 દિવસથી રિમાન્ડ ઉપર હતા. વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે મહેસાણા કોર્ટમાં હાજર કરાયા હતા અને સરકારી વકીલે વધુ 6 દિવસના રિમાન્ડ માટે સરકારી વકીલે માંગણી કરી હતી. જો કે કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરતા કોર્ટના હુકમ બાદ વિપુલ ચૌધરીને જ્યૂડિશિયલ કસ્ટડી માટે મહેસાણા સબજેલમાં લઈ જવામાં આવ્યા છે.


અર્બુદા સેનાના કાર્યકરોએ ઉજવણી કરી


વિપુલ ચૌધરીના કેસની સુનાવણી સમયે કોર્ટની બહાર અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.