વિપુલ ચૌધરીની ACBએ કરી ધરપકડ, દૂધસાગર ડેરીમાં કરોડોની ઉચાપતની થઈ હતી ફરિયાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:03:15

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBની ધરપકડ કરી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા ACBએ મોડી રાત્રે વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરી સાથેની કેટલીક ખાનગી સંસ્થાઓના નામે ફંડ ટ્રાન્સફરનો આરોપ છે. વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકારણ ગરમાયું છે.



વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?


દુધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 300 કરોડ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને તેમને   ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે. 



સરકાર સામે માથું ઉચક્યું એટલા માટે થઈ ધરપકડ?


વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજમાં ખુબ મોટું નામ છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા મનાતા વિપુલ ચૌધરી છેલ્લા ઘણા સમયથી વર્તમાન ભાજપ સરકારથી નારાજ છે. મહેસાણાની દૂધ સાગર ડેરી પરથી સત્તા ગુમાવ્યા વિપુલ ચૌધરીએ મહેસાણા, બનાસકાંઠા, પાટણ ખાતે સભાઓ યોજી હતી અને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. વિપુલ ચૌધરીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી હતી. વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. ચૂંટણી દરમિયાન શાંત કરવા માટે પણ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.







અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.