વિપુલ ચૌધરીની ACBએ કરી ધરપકડ, દૂધસાગર ડેરીમાં કરોડોની ઉચાપતની થઈ હતી ફરિયાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:03:15

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBની ધરપકડ કરી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા ACBએ મોડી રાત્રે વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરી સાથેની કેટલીક ખાનગી સંસ્થાઓના નામે ફંડ ટ્રાન્સફરનો આરોપ છે. વિપુલ ચૌધરીની ધરપકડથી રાજકારણ ગરમાયું છે.



વિપુલ ચૌધરી સામે આરોપ શું છે?


દુધ સાગર ડેરીમાં આર્થિક ગેરરીતિની ACBમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. આ તપાસ બાદ રૂપિયા 300 કરોડ જેટલી ઉચાપત થઈ હોવાનું ખુલ્યું હતું. મોટી રકમનું કૌંભાડ બહાર આવ્યા બાદ વિપુલ ચૌધરીની સાથે તેમના CA શૈલેષ પરીખની પણ ધરપકડ કરીને તેમને   ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે. 



સરકાર સામે માથું ઉચક્યું એટલા માટે થઈ ધરપકડ?


વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજમાં ખુબ મોટું નામ છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા મનાતા વિપુલ ચૌધરી છેલ્લા ઘણા સમયથી વર્તમાન ભાજપ સરકારથી નારાજ છે. મહેસાણાની દૂધ સાગર ડેરી પરથી સત્તા ગુમાવ્યા વિપુલ ચૌધરીએ મહેસાણા, બનાસકાંઠા, પાટણ ખાતે સભાઓ યોજી હતી અને સરકારની નીતિઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. વિપુલ ચૌધરીએ આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની પણ તૈયારી દર્શાવી હતી. વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા. ચૂંટણી દરમિયાન શાંત કરવા માટે પણ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.







દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.