મહારાષ્ટ્રના બે જિલ્લા કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, શા માટે તંગદિલી સર્જાઈ?


  • Published By :
  • Published Date : 2023-06-07 20:11:21

મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમર્થનમાં કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે મહારાષ્ટ્રના બે શહેરો કોલ્હાપુર અને અહેમદનગરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. આ પોસ્ટના વિરોધમાં બંને શહેરોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો.


સમગ્ર વિવાદ શું છે?


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મંગળવારે કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર ઔરંગઝેબના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. બુધવારે તેના વિરોધમાં પ્રદર્શન થયું હતું આ દરમિયાન પોલીસ અને વિરોધ પ્રદર્શકો વચ્ચે સંઘર્ષ પણ થયો હતો. કેટલાક સંગઠનોએ કોલ્હાપુર બંધની ઘોષણા કરી હતી. આ સંગઠનના સભ્યો બુધવારે શિવાજી ચોક ખાતે એકઠા થયા હતા. તેમનું પ્રદર્શન થયા બાદ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે 21 લોકોને અટકાયતમાં લીધા છે. તે જ પ્રકારે મંગળવારે અહેમદ નગરમાં પણ પથ્થરમારો થયો હતો જેના કારણે બે લોકો ઘાયલ થયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યા પોલીસ તૈનાત કરવામાં આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.