આસામ-મેઘાલય સરહદ પર ફાટી નિકળી હિંસા, ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2022-11-22 17:21:35

આસામ-મેઘાલયમાં હિંસા ફાટી નીકળી છે જેને કારણે અંદાજીત 6 લોકોના મોત થયા છે. આ હિંસા એટલા માટે ભડકી ઉઠી હતી કારણ કે પોલીસે આસામ-મેઘાલય સરહદે થતી લાકડાની ચોરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગેરકાયદેસર લાકડા ભરીને જતી ટ્રકને પોલીસે રોકી હતી જે બાદ હિંસા ફાટી નીકળી હતી. જેને કારણે 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


હિંસામાં અનેક લોકોના થયા મોત

સરહદી વિસ્તારોમાં લાકડા તસ્કરી થતી હોય છે. ટ્રક ભરી ગેરકાયદેસર રીતે લાકડાને લઈ જવામાં આવતા હોય છે. ત્યારે આસામ-મેઘાલય બોર્ડર પર આસામ વન વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાઓને લઈ જતી ટ્રકને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બોર્ડર પર ટ્રક ઉભી ન રહી હતી અને ટ્રકને પૂર ઝડપે ડ્રાઈવરે ભગાવી હતી. તેને રોકવા પોલીસે ગોળીબાર કર્યો હતો. જેને કારણે ટ્રકનું ટાયર પંચર થયું હતું. અને પોલીસે ત્રણ લોકોની ઘરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેને કારણે હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જેમાં એક ફોરેસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે.


Image

આસામના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુ:ખ કર્યું વ્યક્ત

એકાએક હિંસા ફાટી નિકળી હતી. હિંસાને વધુ ન વકરે તે માટે પ્રશાસને 7 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. ઘટનાની જાણ થતાં બીજી પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસ આવતાની સાથે જ સ્થાનિકો હાથમાં હથિયાર લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. હિંસામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈ આસામના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.




સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.

The case of Rajkumar Jat's death is becoming more and more discussed day by day and its repercussions are also being felt in other states besides Gujarat. There is immense anger in the Jat community and now it seems that this protest is going to intensify in the next two days.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ નવસારીના ચીખલી ગામે સોલાર મોડ્યૂલસનું ઉત્પાદન કરતા ભારતના સૌથી મોટા પ્લાન્ટની સ્થાપના કરી છે. આ એકમની રચના વારી એનર્જી લિમિટેડ નામની કંપની દ્વારા કરવામાં આવી છે . આ પ્લાન્ટ રાષ્ટ્રનિર્માણમાં ખુબ મહત્વનું યોગદાન આપશે કેમ કે , સોલાર મોડ્યૂલસના ઉત્પાદનમાં આપણે હાલમાં ચાઈનાની સપ્લાય ચેન પર નિર્ભર છીએ . માટે હવે આ પ્લાન્ટ આપણને સોલાર મૉડ્યૂલ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.