નવા વર્ષે Manipurમાં હિંસા ભડકી ઉઠી! ગોળીબારીમાં ગયા ત્રણ લોકોના જીવ, લગાવાયો Curfew, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-02 09:37:20

મણિપુરમાં હિંસા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અનેક વખત ત્યાંથી હિંસાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે એટલે નવા વર્ષના પહેલા દિવસે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે જેને કારણે 3 જેટલા લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને કારણે હિંસા ફાટી નીકળી જેને કારણે 5 જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર થૌબલ જિલ્લામાં ત્રણ લોકોની હત્યા ગોળી મારીને કરવામાં આવી. આ ફાયરિંગમાં પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારીને કારણે રાજ્યના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હિંસાને પગલે મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.

Manipur Violence: नए साल पर मणिपुर में फिर से भड़की हिंसा, 3 लोगों की गोली मारकर हत्या; 5 जिलों में लगाया गया कर्फ्यू


મણિપુરમાં અનેક મહિનાઓથી ફાટી નીકળી છે હિંસા 

એક તરફ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ મણિપુરમાં ફરી એક વખત હિંસા ફાટી નીકળી છે. મણિપુરમાં કેવી સ્થિતિ છે તે અંગે વાત નથી કરવી કારણ કે તે તો તમે જાણો જ છો. અનેક મહિનાઓથી ત્યાં ભડકેલી હિંસા શાંત નથી થઈ રહી. અનેક લોકોના મોત આ ભડકેલી હિંસામાં થયા છે. થોડા સમય પહેલા મહિલાઓ સાથે થયેલા અત્યાચારનો એક વીડિયો સામે આવ્યો હતો જે બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંસદમાં પણ આ મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન થયા. 



આ જિલ્લાઓમાં લાદી દેવામાં આવ્યો કર્ફ્યુ 

ત્યારે ફરી એક વખત ગઈકાલે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. સોમવારે સાંજે થૌબલના લેંગોલ પહાડી વિસ્તારમાં 3 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં 11 જેટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. લોકોમાં એટલો રોષ હતો કે ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી. હિંસાને જોતા પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો. થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 


ઘટનાને લઈ શું કહ્યું મણિપુરના મુખ્યમંત્રીએ? 

હિંસા ફાટી નીકળતા મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહેનો એક વીડિયો સંદેશો સામે આવ્યો છે જેમાં તે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે. આ હિંસામાં 180થી વધુ લોકોના મોત થઈ ગયા છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.