જમ્મુ-કાશ્મીરમાં બની ફાયરિંગની ઘટના, સ્થાનિકોના મોત થતા હાઈવે કરાયો બ્લોક


  • Published By :
  • Published Date : 2022-12-16 10:29:50

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મળતી માહિતી અનુસાર જમ્મુના સંભાગ જિલ્લામાં બે સ્થાનિક લોકોના મોત થઈ ગયા હતા. સેનાના શિબરની આસપાસ ગતિવિધી ઝતા સેનાએ ગોળીબારી કરી હતી. આ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. મરનાર બંને લોકો સ્થાનિકો હતા. ફાયરિંગની ઘટનામાં સ્થાનિકોની મોત થવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને કારણે હાઈવે જામ કરી હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

અલ્ફા ગેટ પાસેથી પસાર થતા તે વખતે બની ઘટના 

જમ્મુ-કાશ્મીરથી અનેક વખત ફાયરિંગની ઘટના સામે આવતી હોય છે. આજે ફરી એકવખત ફાયરિંગની ઘટના બની છે. જમ્મુના રાજોરી જિલ્લામાં આ ફાયરિંગ થયું છે. જેમાં 2 સ્થાનિક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર શુક્રવાર સવારે કથિત રીતે ગોળીબારી થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સેનાના વિસ્તારની આસપાસ હોવાને કારણે સેનાએ ફાયરિંગ કર્યું હતું. અલ્ફા ગેટ પાસેથી શલિંદર કુમાર, કમલ કિશોરી સહિત અક વ્યક્તિ નીકળ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. શા માટે ગોળીબારી કરવામાં આવી તે અંગે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના મોત થતા જમ્મુમાં હિંસા ફાટી નીકળી છે. હિંસક વિરોધ થવાનો શરૂ થઈ ગયો છે. 

दो नागरिकों की मौत के बाद विरोध-प्रदर्शन शुरू


ઘટનાને લઈ ફાટી નિકળી હિંસા

વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ હાઈવે જામ કરી દીધો છે. ઉપરાંત આ ઘટનાને લઈ હિંસક વિરોધ થઈ કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ આ ઘટનામાં મૃત્યુ પામ્યા તે લોકો માટે 10-10 લાખ રૂપિયા સહાય આપવાની માગ કરી છે. હિંસક વધતા સુરક્ષાબળ તૈનાત કરવામાં આવ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.