Election પહેલા Bangladeshમાં ભડકી હિંસા, ટ્રેનમાં લાગી આગ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-06 18:36:35

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાનને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે પરંતુ તે પહેલા બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી છે જેને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. આ હિંસામાં અનેક લોકોના ઘાયલ થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘટના 5 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ.  

5 જાન્યુઆરીએ લાગી હતી ટ્રેનમાં આગ!  

7 જાન્યુઆરીએ બાંગ્લાદેશમાં મતદાન થવાનું છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે તે પહેલા દેશમાં હિંસા ફાટી નીકળી છે. રાજધાની ઢાકામાં શુક્રવાર મોડી રીત્રે એટલે કે 5 જાન્યુઆરીએ એક ટ્રેનમાં આગ લગાવવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ઘટનાને કારણે પાંચ જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. 7 જાન્યુઆરીએ મતદાન થવાનું છે તે પહેલા આ પ્રકારના હુમલા થવાને કારણે રાજકારણ ગરમાયું છે.

બાંગ્લાદેશમાં 7 તારીખે યોજાવાની છે ચૂંટણી  

જે ચૂંટણી માટે મતદાન થવાનું છે તે માટેના દાવેદાર બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ છે. તે પણ એક દાવેદાર છે. આ ઘટના બાદ વિદેશ મંત્રાયલ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવામાં આવ્યું છે કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈ પણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. આ એવા લોકો છે જેઓ નથી ઈચ્છતા કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય. જે ટ્રેનમાં આ હુમલો કરવામાં આવ્યો છે તે ટ્રેનમાં ભારતીય નાગરિકો પણ સવાર હતા. એક ડબ્બામાં લાગેલી આગ જોત જોતામાં અનેક ડબ્બાઓમાં આગ પ્રસરી ગઈ.  આ ઘટના જે ટ્રેનમાં બની તે ટ્રેનનું નામ છે બેનાપોલ એક્સપ્રેસ. પોલીસનું માનવું છે કે આ આગ જાણી જોઈને લગાવામાં આવી છે.        



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?