પશ્ચિમ બંગાળમાં ફરી ફાટી નીકળી હિંસા! બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, પોલીસે કરી અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-03 12:18:54

દેશના અનેક રાજ્યોમાં રામનવમીના દિવસે હિંસા ફાટી નીકળી હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. બિહાર અને પશ્ચિમ બંગાળમાં રામનવમી દરમિયાન અનેક જગ્યાઓ પર હિંસા ફાટી નિકળી હતી. રામનવમીને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. પશ્ચિમ બંગાળના હુગલીમાં રવિવારે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તે ઉપરાંત અનેક ગાડીઓને આગ લગાવી દેવામાં આવી હતી.સ્થિતિને કાબુ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે હજી સુધી 12 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.  

 


રવિવારે હિંસા ભડકી ઉઠી હતી 

રવિવારે અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રવિવારે બે જૂથ્થો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઉપરાંત પથ્થરમારો પણ થયો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં રાખી અનેક શાળોઓ પણ બંધ કરી દેવામાં આવી છે. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ સામેલ થયા હતા. આ હિંસામાં તેઓ ઘાયલ પણ થયા હતા. ઉપરાંત અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ધારા 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


     

ભાજપના ધારાસભ્ય થયા ઈજાગ્રસ્ત 

રામનવમી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી. પશ્ચિમબંગાળ ઉપરાંત બિહારમાં પણ અનેક જગ્યાઓ પર અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિસરા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. પથ્થરમારો દરમિયાન ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ સિવાય બિહારમાં પણ હિંસા ફાટી નીકળી હતી.  



બિહારમાં પણ શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયત્ન  

તે સિવાય બિહારમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. શનિવારે નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. સાસારામ, નાલંદા, ગયા સહિતના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સાસારામમાં શનિવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે ઉપરાંત બિહારશરિફમાં કરફ્યુ લાદવામાં આવ્યું હતો.કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. બિહાર પોલીસે આ મામલે 106 લોકોની ધરપકડ કરી લીધી છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!