મણિપુરમાં ફરી ભડકી હિંસા! મંગળવાર રાત્રે થયેલા હુમલામાં થયા 9 લોકોના મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-14 14:31:33

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકી રહી છે. હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ઉપરાંત પ્રોપર્ટીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે મંગળવાર રાત્રે મણિપુરમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. મૈતેઈમાં મંગળવાર રાત્રે થયેલા હુમલામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ખામેલોકમાં તેમજ ઈંફાલના પૂર્વ જિલ્લામાં હુમલો થયો હતો. જે લોકોના મોત થયા છે તે લોકો ખામેલોકના રહેવાસી હતા.

 

મણિપુરમાં ફરી ભડકી હિંસા!

મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ જ નથી લઈ રહી. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે ફરી એક વખત હિંસા ભડકવાની ઘટના સામે આવી છે. મંગળવાર સાંજે ગોળીબારી થવાની ઘટના સામે આવી છે જેમાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે જણાવ્યું કે ઉગ્રવાદીઓ હથિયારો સાથે લઈને આવ્યા હતા. 


હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ!

પહેલા વિસ્તારને ઘેરી લીધો અને તે બાદ મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ ઘટનામાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સોમવારે પણ ખામેલોકક વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની હતી. હિંસાને પગલે ઈન્ટરનેટ સેવા પર લગાવામાં આવેલા પ્રતિબંધને 15 જૂન સુધી લંબાવાઈ દેવાયો છે. મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસા પર કેન્દ્ર સતત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને આ મામલે તપાસ કરવા માટે ટીમની રચના કરવામાં આવી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.