ઉત્તર પ્રદેશના ગામડાંના ઘરોને હૉટલમાં ફેરવાશે, ગામડામાં રોજગારી આવશે તેવો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-16 14:50:38

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. 


UPમાં 5 ડિસેમ્બરે શિયાળુ સત્ર મળશે

યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં પ્રવાસન વધારવા માટે ગામડાના ઘરોને હૉટલો અને લૉજમાં બદલવાનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથ સરકારનો આ નિર્ણય પાછળ વિચાર છે કે આનાથી ઈકો ટુરીઝમ વધશે અને ગ્રામ્ય લોકોને ધંધો પણ મળશે. ઉત્તર પ્રદેશમાં 5 ડિસેમ્બરે ત્રણ દિવસ માટે શિયાળુ સત્ર મળવાનો નિર્ણય લીધો છે. આ  શિયાળા સત્રમાં પૂરક બજેટ પણ રજૂ કરવામાં આવશે. 


યૂપીના ગામડાના લોકોને ઘર બેઠા મળશે રોજગારી 

કેબિનેટ બેઠકમાં નવી પ્રવાસન નીતિને લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં જૂની હવેલીઓને હેરિટેજ હૉટલમાં બદલવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામડામાં રહેતા લોકો પોતાના ઘરને હૉટલ અથવા લૉજમાં બદલાવી શકશે અને રોજગારી મેળવી શકશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.