વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાયો શુભારંભ, PM Modiએ ઝારખંડથી તો Bhupendra Patelએ અંબાજી ખાતેથી કરાવ્યો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-11-15 16:50:46

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીએ પોતાના કાર્યકાળ દરમિયાન કયા કાર્યો કર્યા, કઈ યોજનાને લાગુ કરી તે અંગેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી. દેશના લોકોને લાભ થાય તે હેતુથી કેન્દ્ર સરકારે અનેક યોજનાની શરૂઆત કરી છે. તે યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે આજથી દેશભરમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. પીએમ મોદી ઝારખંડ ખાતેથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

 

પીએમ મોદીએ ઝારખંડથી આ યાત્રાનો કરાવ્યો પ્રારંભ 

લોકોને લાભ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાવવામાં આવતી હોય છે. પરંતુ અનેક લોકોને આ યોજનાની જાણ નથી હોતી. ત્યારે લોકોને આ યોજનાની જાણ થાય તે માટે કેન્દ્ર સરકારે વિકસીત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે ઉપરાંત આધુનિક રથ અનેક જિલ્લાઓમાં ફરશે. વિવિધ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ યાત્રામાં પીએમ મોદીનો એક વીડિયો સંદેશ હશે. ગુજરાતમાં આ યાત્રાનો પ્રારંભ ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી કરાવ્યો છે જ્યારે પ્રધાનમંત્રીએ આ યાત્રાનો પ્રારંભ ઝારખંડથી કરાવ્યો છે. અંબાજીના ચીખલા ગામેથી આ યાત્રાની શરૂઆત થઈ છે. યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ જનસંબોધન કર્યું હતું.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.