વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કરાયો શુભારંભ, PM Modiએ ઝારખંડથી તો Bhupendra Patelએ અંબાજી ખાતેથી કરાવ્યો પ્રારંભ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-15 16:50:46

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પાર્ટીએ પોતાના કાર્યકાળ દરમિયાન કયા કાર્યો કર્યા, કઈ યોજનાને લાગુ કરી તે અંગેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી. દેશના લોકોને લાભ થાય તે હેતુથી કેન્દ્ર સરકારે અનેક યોજનાની શરૂઆત કરી છે. તે યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે આજથી દેશભરમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. પીએમ મોદી ઝારખંડ ખાતેથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

 

પીએમ મોદીએ ઝારખંડથી આ યાત્રાનો કરાવ્યો પ્રારંભ 

લોકોને લાભ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાવવામાં આવતી હોય છે. પરંતુ અનેક લોકોને આ યોજનાની જાણ નથી હોતી. ત્યારે લોકોને આ યોજનાની જાણ થાય તે માટે કેન્દ્ર સરકારે વિકસીત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે ઉપરાંત આધુનિક રથ અનેક જિલ્લાઓમાં ફરશે. વિવિધ યોજનાની માહિતી લોકો સુધી પહોંચે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંકલ્પ યાત્રામાં પીએમ મોદીનો એક વીડિયો સંદેશ હશે. ગુજરાતમાં આ યાત્રાનો પ્રારંભ ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી કરાવ્યો છે જ્યારે પ્રધાનમંત્રીએ આ યાત્રાનો પ્રારંભ ઝારખંડથી કરાવ્યો છે. અંબાજીના ચીખલા ગામેથી આ યાત્રાની શરૂઆત થઈ છે. યાત્રાનો પ્રારંભ કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ જનસંબોધન કર્યું હતું.  



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..