અરવિંદ કેજરીવાલના પોસ્ટર પર વિજય રૂપાણીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:45:05

ગુજરાતમાં આજનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે અરવિંદ કેજરીવાલનું પોસ્ટર. ચૂંટણી નજીક આવતા ધર્મની રાજનીતિનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર અરવિંદ કેજરીવાલના પોસ્ટર લાગ્યા છે. જેમાં તેમને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટર પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે પોસ્ટર પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે.


આપને રૂપાણીએ ગણાવી લાલચુ પાર્ટી

પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી  ખોટી અને ખરાબ છે તેવી વાતો હાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. તેમાં પણ ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે આવી વાતો ખૂબ સાંભળવા મળે છે. પોસ્ટર પર  પ્રતિક્રિયા આપતી વખતે રૂપાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ખૂબ જ સ્પષ્ટ વાત છે આમ આદમી પાર્ટીનું પોઠ ખૂલતું જાય છે. આમ આદમી પાર્ટી એક ખોટા વાયદા અને જુઠ્ઠી વાત અને કોઈ પણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા વાળી સત્તા લાલચુ પાર્ટી છે. 

Vijay Rupani Resign: Why Vijay Rupani may have resigned as Gujarat CM and  who could be his successor | India News - Times of India

આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

વધુમાં તેમણે કહ્યું કે આજે ભારતમાં હિન્દુ ઘર્મ વિરૂદ્ધ વાત કરી રહ્યા છો તેનો મતલબ છે તે શું કરવા માંગો છો અને ભવિષ્યમાં શું વિચારી રહ્યા છો તે હિંદુ સમાજ જાણી ગયો છે.આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આવનારી ચૂંટણીમાં આપશે. આમ આદમી પાર્ટીના ચીથરા કાઢશે અને 2/3 બહુમતીથી સરકાર બનાવીશું.     .     




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.