gujarat assembly election 2022: વિજય રૂપાણી સહિત 8 પૂર્વ મંત્રીઓ તથા અનેક ધારાસભ્યોના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2022-11-09 21:20:46


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણ ગરમાયું છે. ભાજપની પ્રથમ યાદી જાહેર થાય એ પહેલા જ એક બાદ એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમની કેબ્િનેટના  8 મંત્રીઓનો સમાવેશ થાય છે, જો કે આ વખતે ભાજપના અનેક સિનિયર નેતાઓ અને ધારાસભ્સયોનો પત્તા કપાશે તે પણ સ્પષ્ટ છે. 


ભાજપના કયા નેતાઓના પત્તા કપાયા?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે તેના એક સમયના પીઢ નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપની 'નો રિપીટ થિયરી'ના ભાગરૂપે અગ્રણી 8 નેતાઓના પત્તા કપાયા છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ,  આર સી ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, નિમાબેન આચાર્ય, કૌશિક પટેલ, વિભાવરીબેન દવે, ઉપરાંત યોગશ પટેલ, વલ્લભ કાકડિયા,  વાસણ આહીર, રાજેન્દ્ર ત્રિવેદી, કુમાર કાનાણી, પૂર્ણેશ મોદી, પંકજ દેસાઈ, પ્રદીપ પરમાર, ધર્મેન્દ્ર સિંહ જાહેજા, વી.ડી ઝાલાવાડિયા, આત્મારામ પરમાર, રમણ પાટકર, ઈશ્વર પરમાર, જયદ્રથસિંહ પરમાર, રાઘવજી પટેલ, શંભુજી ઠાકોર, આઈ.કે.જાડેજા, બલરામ થવાણી, અરવિંદ રૈયાણી, અને ગોવિંદ પટેલનો સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.