ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર! જાણો શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે...


  • Published By :
  • Published Date : 2023-05-25 12:33:51

ગુજરાતના અનેક શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજથી ગુજરાતના પ્રવાસે શાસ્ત્રીજી આવી રહ્યા છે ત્યારે તેમના દરબારને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાબા અંગે નિવેદન આપ્યું છે. વિજય રુપાણીએ કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. 


દિવ્ય દરબારને લઈ વિજય રૂપાણીનું નિવેદન!

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં તેમનો દરબાર યોજાયો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા અનેક પડકારો તેમને ફેંકવામાં આવ્યા છે. ત્યારે આજથી ગુજરાતની મુલાકાતે બાબા આવી રહ્યા છે. રાજકોટ ખાતે પણ બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું છે. 


કોંગ્રેસ પર વિજય રુપાણીએ કર્યા પ્રહાર!

વિજય રુપાણીએ નિવેદન આપતા કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. બાબા હનુમાનજીના ઉપાસક છે. દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે જે ખૂબ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારની વાત કરે છે, કોઈ પોતાનું દુખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીના મત મેળવવા હંમેશા તુષ્ટીકરણ કરે છે. એ લોકોને યાદ જ છે. લઘુમતીઓના મત મેળવવા માટે હંમેશા કોંગ્રેસ હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરતી આવી છે. 


આ તારીખે આ જગ્યાઓ પર લાગશે દિવ્ય દરબાર!

ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. તેમના દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તેને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે મંજૂરી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આજથી ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે. 26 મે અને 27 મેના રોજ સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તે બાદ 28મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમ થવાનો છે. અમદાવાદ બાદ રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પહેલી અને બીજી જૂનને રાજકોટના રેસકોર્સ ખાતે દિવ્ય દરબાર થવાનો છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!