વિજય રૂપાણીએ મનીષ સિસોદિયા મામલે નિવેદન આપ્યું , જાણો શું કહ્યું વિજય રૂપાણીએ ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 12:59:20

મનીષ સિસોદિયાની CBI દ્વારા પૂછપરછ કરતાં રાજકારણ ગરમાયું છે.ત્યારે આ અંગે વિજય રૂપાણીએ એક નિવેદન આપ્યું   તેમણે કહ્યું હતું કે આ એક કાયદાકીય પ્રોસેસ છે જેને હવે રાજકારણ સાથે જોડવાની કોશિશો થઈ રહી છે. તથા બીજી બાજુ મનીષ સિસોદિયા 2 દિવસ ગુજરાત પ્રવાસે આવતા શિક્ષણ મોડલનો મુદ્દો ફરીથી ગુજરાતના રાજકારણમાં ઉઠી શકે છે.

 


મનીષ સિસોદિયાએ ગુજરાત પ્રવાસ અંગે કરી જાહેરાત 

મનીષ સિસોદિયા સમગ્ર વિવાદ મુદ્દે એક જાહેરાત કરી જેમાં તેમણે  2 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવવાની વાત કરી છે . તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. આની સાથે અરવિંદ કેજરીવાલ અને આપના શિક્ષણ મોડલની વાત કરીને ગુજરાત પ્રવાસમાં સી.આર.પાટીલે આપેલી ચેલેન્જ સ્વીકારશે એવી અટકળો વહી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.