મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે વિજય રૂપાણીએ કર્યો પ્રચાર, કહ્યું આ ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2022-11-15 11:56:19

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેઓ ઉમેદવારી નથી નોંધાવી રહ્યા પરંતુ પાર્ટી અને ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. મોરબી ખાતે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શનળા રોડ પર સરદાર બાગ નજીક આ કાર્યાલયોનો પ્રારંભ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. ઉપરાંત કોંગ્રેસ માટે તેમણે કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાંથી ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે.    

gujarat elections vijay rupani address in morbi kanti amrutiya jansabha

પોતાના સંબોધનમાં કર્યો અયોધ્યાનો ઉલ્લેખ 

વિધાનસભા ચૂંટણી પૂર્વે દરેક પાર્ટી પોતાનો તેમજ ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા તંતોડ મહેનત કરી રહી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. તેઓ ભલે ચૂંટણી નથી લડવાના પરંતુ તેઓ પાર્ટી અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાતે વિજય રૂપાણી મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને રામ મંદિરને અટકાવનારાએ વચ્ચેની છે. 

Kantilal Amrutiya - ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್

ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે - વિજય રૂપાણી 

વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. કલમ 370નો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ચૂંટણી કાશ્મીરમાં 370ની કલમ હટાવનાર અને કલમ ન હટાવવાની લાગણી રાખનાર વચ્ચે છે. આટલું કહ્યા પછી કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ખતમ થઈ રહી છે. કોંગ્રેસ દિશાહીન છે, તેની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી.

bjp: Discontent among those denied tickets; four quit BJP in Gujarat - The  Economic Times

રૂપાણીએ આપ્યું નવું સૂત્ર

ભાજપે મોરબી માટે કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કાંતિભાઈ અમૃતિયાએ દુર્ઘટના વખતે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વિજય રૂપાણીએ 'યુવાનો કો કામ, અયોધ્યામે રામ, કિસાનોકો સહી દામ' સૂત્ર પણ આપ્યું.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.