વિજાપુર ભાજપનો આંતરકલહ ચરમસીમાએ, પાર્ટીએ શિસ્તભંગના પગલા ભરતા ત્રણ સભ્યોને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-10 15:51:22

મહેસાણા જિલ્લાના વિજાપુર ભાજપનો આંતરકલહ પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે. પાર્ટીએ શિસ્તભંગના પગલા ભરતા ત્રણ સ્થાનિક નેતાઓને બરતરફ કર્યા છે. ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારો સામે પેનલ બનાવી વિજાપુર APMCની ચૂંટણી  લડેલા પાર્ટીના નેતાઓ પૂર્વ ધારાસભ્ય પી આઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


સુરેશભાઈ પટેલનો પત્ર વાઈરલ


વિજાપુરના રાજકીય વર્તુળોમાં સુરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ પત્રમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને અન્ય ભાજપ અગ્રણીઓ સામે જૂથવાદનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


શા માટે સસ્પેન્ડ કરાયા? 


વિજાપુર APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ સામે પી.આઈ.પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમાં પી.આઈ.પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે ભાજપના જૂથને હારનો સામનો કરવા પડ્યો હતો. APMCની ચૂંટણીમાં કુલ 14 બેઠકમાંથી પી.આઈ.પટેલની કિસાન પેનલનો 9 પર વિજ્ય થયો હતો. તેમજ 5 બેઠક રમણલાલ પટેલ જૂથના ફાળે ગઈ હતી. ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપની પેનલની પેનલની હાર થઈ હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.