Vadodara Railway Stationનો વીડિયો વાયરલ જેમાં રિઝર્વેશન વગરના AC કોચમાં ચઢી ગયા અને કન્ફર્મ ટિકિટ વાળા રહી ગયા! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 15:11:16

વતનમાં જઈ તહેવારની ઉજવણી કરવાનો હરખ દરેક લોકોને હોય છે. રોજીરોટી માટે પોતાના વતનને છોડનારા લોકો મુખ્યત્વે તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવાની ઈચ્છા ધરાવતા હોય છે, અને એમાં પણ દિવાળી જેવો તહેવાર હોય તો તો પૂછવું જ શું! ગઈકાલે સુરતમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા હતા. હર્ષ સંઘવી તેમજ સરકાર દ્વારા આ અંગેની માહિતી લેવામાં આવી. આ બધા વચ્ચે એક વીડિયો રેલવે સ્ટેશનનો વાયરલ થઈ રહ્યો છે જેમાં કમ્ફોર્મ ટિકિટ વાળા ટ્રેનની બહાર રહી ગયા અને બીજા પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી ગયા.  

એસી ડબ્બામાં બીજા મુસાફરો ઘૂસી ગયા અને...!

દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવે તેવી ઈચ્છા દરેક લોકોને હોય છે. વતનની બહાર લોકોમાં તહેવારને લઈ અનેરો ઉત્સાહ હોય છે. દિવાળીનો તહેવાર નજીક આવતા જ રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય મુસાફોનો ભારે ધસારો જોવા મળતો હોય છે. ભારે ભીડ ઉમટતી હોય છે. વધારે ભીડ હોવાને કારણે મુસાફરોના જીવ પણ જોખમ મૂકાતા હોય છે તેનું ઉદાહરણ કાલે આપણે સુરત રેલવે સ્ટેશન પર જોયું. સુરત રેલવે સ્ટેશનમાં થયેલી ધક્કામૂકીને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા. ત્યારે સોશિયલ મીડિયા પર વડોદરા રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મુસાફરો ગાડીની બહાર લટકીને જઈ રહ્યા છે. લોકો એસી ડબ્બામાં ઘૂસી ગયા અને કમ્ફર્મ ટિકિટ વાળા રહી ગયા!



મુસાફરોમાં જોવા મળી નારાજગી 

આવો કડવો અનુભવ થયા બાદ મુસાફરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. મુસાફરો વીડિયો શેર કરી રહ્યા છે અને આઈઆરસીટીસીના મેનેજમેન્ટને ફેઈલ ગણાવી રહ્યા છે. કોઈ મુસાફરે લખ્યું તે ભારતીય રેલવેનું મેનેજમેન્ટ સૌથી ખરાબ છે તો કોઈ ટિકિટના પૈસા પાછા માગ્યા. આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.