રાહુલ ગાંધીના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ આપી હતી પ્રતિક્રિયા, ઉપરાષ્ટ્રપતિના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર


  • Published By :
  • Published Date : 2023-03-10 11:30:40

રાહુલ ગાંધીએ લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર લીધો હતો તે બાદ સંસદમાં પણ ભાષણ આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવામાં આવે છે. આ ભાષણની ટીકા થઈ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાહુલના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી છે. નામ લીધા વગર તેમણે કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવદેન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. 

ઉપરાષ્ટ્રપતિએ નામ લીધા વગર કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર          

રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા ભાષણ પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ પણ આ મુદ્દે આક્રામક દેખાઈ હતી. ત્યારે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા સંસદ અંગેના ભાષણ પર ઉપરાષ્ટ્રપતિએ પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જગદીપ ધનખડે નામ લીધા વગર રાહુલ ગાંધીના ભાષણને લઈ નારાજગી દર્શાવી હતી. બ્રિટિશ સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના માઈક જ બંધ કરી દેવામાં આવે છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વિદેશી ધરતીથી એવું કહેવું કે સંસદમાં માઈક બંધ કરી દેવાય છે તે એક પ્રકારથી જૂઠાણું ફેલાવાનો પ્રયાસ છે. ઉપરાષ્ટ્રપતિના આ નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. 


જયરામ રમેશે આપી પ્રતિક્રિયા

જગદીપ ધનખડના નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ તરીકે એક અમ્પાયર હોય છે. તે કોઈ પાર્ટી માટે લીડર હોઈ શકે નહી. જયરામ રમેશે પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં ભાષણમાં કેટલીક જરૂરી ટિપ્પણી કરી છે. તે અંગે ઉપરાષ્ટ્રપતિનું નિવેદન નિરાશાજનક છે. ભારતનું ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય સંવૈધાનિક છે. આ સંવિધાનથી રાજ્યસભાના અધ્યક્ષ હોવાની જવાબદારી વધુ હોય છે. એટલે તેમણે કોઈપણ રાજકીય દળ પ્રત્યે લગાવ અને કોઈ પક્ષ પૂર્વાગ્રહથી મુક્ત હોવું જોઈએ.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.