VHP પ્રમુખ પ્રવીણ તોગડિયાએ લવ જેહાદ કાયદા અંગે કરી વાત! જાણો સરકારને કયો કાયદો લાવવા કરી રજૂઆત


  • Published By :
  • Published Date : 2023-06-02 12:42:24

વલસાડના અબ્રામાની સરસ્વતી સ્કૂલમાં રાષ્ટ્રીય બજરંગ દળના પ્રશિક્ષણ વર્ગનો કાર્યક્રમ થયો જેમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા હાજર રહ્યા. પ્રશિક્ષણ વર્ગના પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં પ્રવીણ તોગડિયાએ ફરી જૂની સ્ટાઈલમાં તીખી ભાષણબાજી કરી હતી. તેમણે શ્રદ્ધા મર્ડર કેસ, હિન્દુ યુવતીઓની હત્યા, હિન્દુ દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવી, એન્ટી લવજેહાદ કાયદો, હિન્દુ દીકરીઓને આત્મ રક્ષા ટ્રેઈનિંગ વગેરે મુદ્દાઓ પર જોર આપ્યું હતું. 

થોડા સમય પહેલા નિવેદનને લઈ આવ્યા હતા ચર્ચામાં!

અગાઉ પ્રવીણ તોગડિયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ન્યાયાધીશ, કલેક્ટર અને એસપી માત્ર હિન્દુ જ બનશે. નર્મદાપુરમમાં પણ જ્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે એક સમયે મારો જ સિક્કો ચાલતો હતો. પણ પ્રવીણ તોગડિયાને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રી અધ્યક્ષ પદેથી હટાવ્યા બાદ તેમનો પ્રભાવ ઓછો થઈ ગયો છે.  વલસાડના કાર્યક્રમમાં તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં હિન્દુ દિકરીઓને સુરક્ષા માટે કવચ આપવાની તૈયારી છે. 


લવ જેહાદ કાયદો ઘડવા કરી અપીલ!

તે સિવાય ધી કેરલા સ્ટોરી અંગે પણ નિવેદન આપતા કહ્યું કે શું હવે વડોદરા, સુરત, વલસાડ. દિલ્હી જેવી ફિલ્મ બનશે? ધી કેરલા સ્ટોરી ફિલ્મમાં હિંદુઓને શરમમાં નાખે અને હિન્દુઓનું નાક કાપે અવી વાત રજૂ કરવામાં આવી છે. દેશમાં હિન્દુઓની બહેન દીકરી સુરક્ષિત નથી ત્યાં આવી ફિલ્મો બનાવવી પડે છે. એન્ટી લવ જેહાદ કાયદો સરકારે ઘડવો જોઈએ. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.