વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવનારી સોશિયલ મિડિયા પોસ્ટ મુકનાર રોહન શાહની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-02 19:27:35

રાજ્યમાં રામનવમી નિમિત્તે વિવિધ શહેરોમાં રામજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ જ દિવસે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. એક જ દિવસમાં બે વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાથી વડોદરાની શાંતિ ડહોળાઇ હતી આ ઘટના બાદ શહેરમાં સ્થિતિ હજુ પણ અજંપાભરી છે. જોકે પથ્થરમારા કરનારા 23 વધુ શખ્સોની વડોદરા પોલીસે ધરપકડ કરી આરોપીઓને રિમાન્ડ પર મોકલી દેવાયા છે. અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બે દિવસ બાદ પણ પોલીસ તોફાન ફાટી નીકળેલા વિસ્તારોમાં ખડેપગે તૈનાત છે. સોશિયલ મિડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ મૂકી માહોલ બગાડનારા તત્વો સામે હવે વડોદરા સાયબર ક્રાઇમે લાલઆંખ કરી છે. ભડકાઉ પોસ્ટ ફેસબુક પર મૂકનાર એક શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.


રોહન શાહની ધરપકડ


રામનવમીની શોભાયાત્રામાં જે ભડકાઉ ભાષણો આપ્યા હતા અને શહેરની શાંતિ ડહોળાઇ હતી તે બાબતે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સાયબર સેલની ટીમે VHP નેતા રોહન શાહ, કેતન ત્રિવેદી ગુંજલ શાહ સહિત અન્ય એક અજાણ્યા શખ્સ સામે IPC કલમ 153A, 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોહન કમલેશ શાહની ધરપકડ પણ કરી લેવાઇ છે. જોકે અન્ય આરોપીઓ ફરાર છે. જેની PCB, SOG, ક્રાઇમબ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો શોધખોળમાં લાગી છે.


સોશિયલ મીડિયા પર પોલીસની નજર


વડોદરામાં સર્જાયેલા કોમી છમકલાની કાર્યવાહીમાં પોલીસ બાદ હવે સાયબર ક્રાઇમ સેલની ટીમ પણ કાર્યવાહીમાં લાગી છે. વડોદરા સાયબર ક્રાઇમ દ્ઘારા ફેસબુક, ઇન્ટાગ્રામ અને વોટસએપ સહિતના માધ્યમો પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી શાંતિ બગાડનારા તત્વો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશનર દ્વાર સાયબર ક્રાઇમને ભડકાઉ પોસ્ટ મૂકનારા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..