કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓનો પ્રચાર! કોંગ્રેસના ઘોષણા પત્ર પર પીએમ મોદીનો કટાક્ષ! જાણો પ્રચારમાં શું કહ્યું પીએમ મોદી અને રાહુલ ગાંધીએ!


  • Published By :
  • Published Date : 2023-05-02 16:58:43

કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ દ્વારા આજે જ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં રેલી સંબોધી હતી જેમાં તેમણે કોંગ્રેસના ઘોષણા પત્રને લઈ પ્રહાર કર્યા હતા. તે સિવાય રાહુલ ગાંધીએ પણ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

  

કોંગ્રેસે ઘોષણા પત્રમાં કરી આ જાહેરાત!

ગઈકાલે ભાજપે કર્ણાટક માટે ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. જેમાં જનતાને અનેક વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ પ્રમાણે ઘોષણા કરી હતી. જે મુજબ ગૃહ જ્યોતિ હેઠળ કોંગ્રેસ કર્ણાટકમાં તમામ ઘરોમાં 200 યુનિટ સુઘી મફત વીજળી આપશે, તે ઉપરાંત ઘરની દરેક મહિલા વડાને 2000 આપવાનું વચન આપ્યું છે. તે ઉપરાંત બીપીએલ પરિવારના દરેક વ્યક્તિને દર મહિને 10 કિલો અનાજ આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. મહત્વનું છે કે કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવ્યા બાદ બજરંગ દળ અને પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે ધર્મના નામે નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરશે. 


કોંગ્રેસે બજરંગબલીને તાળામાં બંધ કરવાનો સંકલ્પ કર્યો!

કર્ણાટકમાં પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કોંગ્રેસના ઘોષણા પત્ર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણા પત્રમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા શ્રીરામને તાળામાં બંધ કર્યા અને હવે જય બજરંગબલી બોલવા વાળાને જેલમાં બંધ કરવાનો સંકલ્પ કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આજે હનુમાનજીની આ પવિત્ર ભૂમીને પ્રણામ કરવું સૌભાગ્ય છે પરંતુ દુર્ભાગ્ય જુવો, હું આજે હનુમાનજીને નમન કરવા આવ્યો છું તે જ સમયે કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં બજરંગબલીને તાળામાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 


પીએમ મોદી અને રાહુલ ગાંધી આમને-સામને!

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પરંપરાગત વાદ્ય વગાડ્યું હતું, તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર કરવામાં આવતા પ્રહારને લઈ પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ લોકો ગાળીની સેંચ્યુરી લગાવાના રસ્તા પર છે. કોંગ્રેસની વોરંટી ખતમ થઈ ગઈ છે, કોંગ્રેસની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે. એવામાં વોરંટી વગર કોંગ્રેસની ગેરંટી પણ ખોટી છે. આની પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો છે કે કર્ણાટકમાં ભાજપે ચોરીથી સરકાર બનાઈ છે. ભાજપે 3 વર્ષમાં લોકતંત્રને ખતમ કરી લીધો છે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!