Loksabha Election પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે પક્ષમાંથી આપ્યું રાજીનામું, રાજીનામા પાછળ આપ્યું આ કારણ


  • Published By :
  • Published Date : 2024-04-11 18:51:23

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આવા સમાચાર સામે આવવા સામાન્ય બની ગયા છે આ બધા વચ્ચે સુરેન્દ્રનગરથી સાંસદ રહી ચૂકેલા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં તેમણે રાજીનામું આપ્યું છે.  સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લિંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 

News18 Gujarati

સોમાભાઈ પટેલે કોંગ્રેસને કહ્યા રામ રામ! 

એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી રહ્યા છે. એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી લીધો છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. અચાનક આવા નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 



રાજીનામા પાછળ આપ્યું આ કારણ 

એવું માનવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી સોમાભાઈ ટિકીટ ઈચ્છી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરની સામે કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર ના કરાતા તેમણે રાજીનામું આપી દીધું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. રાજીનામામાં તેમણે કોંગ્રેસ છોડવાનું કારણ પણ દર્શાવ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું કે માા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.