Congressના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહી રહ્યા છે ચૂંટણીથી અળગા?


  • Published By :
  • Published Date : 2024-03-12 13:22:48

થોડા દિવસ પહેલા કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 39 ઉમેદવારોની લિસ્ટમાં ગુજરાતના એક પણ ઉમેદવાર ન હતા. ગુજરાત લોકસભા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગઠબંધન મૂજબ ભરૂચ તેમજ ભાવનગરની લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 24માંથી એક પણ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ નથી જાહેર કરવામાં આવ્યા તે બધા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા એકબાદ એક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે. પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો ત્યારે હવે ભરતસિંહ સોલંકીએ ના પાડી દીધી છે. 

જગદીશ ઠાકોર બાદ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર!

એક તરફ કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે તો બીજી  તરફ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. અનેક ધારાસભ્યોએ, અનેક નેતાઓ, કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. કોંગ્રેસ માટે માનવામાં આવતું હતું કે તે પોતાના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે ઉપરાંત ધારાસભ્યોને પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઘોષિત કરી શકીએ છીએ. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે આ અંગેની માહિતી આપી છે. તેમણે લખ્યું કે મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે, હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું.



કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર!

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ ના પાડી દીધી હતી. જગદીશ ઠાકોરે કહ્યું કે, નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. ત્યારે હવે કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.       



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.