ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો, રૂ. 200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો ભાવ


  • Published By :
  • Published Date : 2023-10-08 16:09:04

તહેવારોની સીઝન નજીક છે ત્યારે જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાના વિદાય બાદ ફરી એક વાર લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજી ઉપરાંત બટાકાના ભાવ પણ વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ માટે આ કાળઝાળ મોંઘવારીમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. 


ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


રાજ્યમાં આ વર્ષે શિયાળાની શરૂઆત પહેલા જ હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટા સિવાયના શાકભાજીનો ભાવ 80 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. અત્યારે વટાણા 200 રૂપિયા કિલો થઇ ગયા છે. ચોળી 160 રપિયા, ગુવાર 140 રૂપિયા આમ બધી શાકભાજીના ભાવ વધી ગયા છે. માલની આવક ઓછી હોવાને લીધે ભાવ વધી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 


વિવિધ શાકભાજીના ભાવમાં ભડકો


હાલ રિટેલ માર્કેટમાં વિવિધ શાકભાજીના ભાવ પર એક નજર કરીએ તો ગુવાર - 140 રૂપિયા કિલો, ભીંડા - 100, લીલી - તુવેર ગલકા - 60થી 80, રીંગણા - 100, ફ્લાવર - 100, તુરીયા - 80, સરગવો - 100, વટાણા- 300 રૂપિયા, કોથમીર 200 રૂપિયા કિલો, આદુ 250 રૂપિયા કિલો, રીંગણ 80 રૂપિયા કિલો,   ડુંગળી 40 રૂપિયા કિલો, ફુલાવર 120 રૂપિયા કિલો, લીંબુ 120 રૂપિયા કિલો જેટલો વધારો થયો છે.


શા માટે ભાવ વધ્યા?


શાકભાજીમાં ભાવ વધારા અંગે વેપારીઓના જણાવ્યા પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઉત્પાદન ઓછું થતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી લીલા શાકભાજીને લઈને આવતી ટ્રકોમાં ઘટાડો થયો છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આમ પણ ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ શિયાળામાં આવક વધતા આ ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેના કારણે લોકલ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેથી છેલ્લા 10 દિવસમાં આ ભાવવઘારો થયો છે. હજુ પણ ભાવ ઘટાડો થવામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. 


તહેવારોની સીઝન ટાણે જ ભાવ વધારો


જીવન જરૂરિયાતોમાં અસહ્ય ભાવ વધારો ગરીબ અને મધ્યમવર્ગ ખાસ કરીને સહન કરી રહ્યો છે. તહેવારોની સીઝન શરુ થઇ ચુકી છે અને તહેવારો ટાણે જ તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો સતત નોંધાતા કરોડો પરિવારોની થાળીમાંથી જાણે પોષણયુક્ત આહાર ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યમાં કુપોષણના રીપોર્ટ ચોંકાવનારા રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર યોજનાઓને આધારે જનતાને લોલીપોપ આપી રહી છે ત્યારે સવાલ અનેક છે અને સામાન્ય જનતા સરકારને પૂછી રહી છે કે થોડી મોંઘવારી ઓછી થશે તો આપોઆપ અનેક ઘરમાં પોષણયુક્ત ખોરાક બનતો થશે પરંતુ સરકારની તિજોરી ટેક્ષની આવકથી છલકાઈ રહી છે અને સામાન્ય પરિવારોના બજેટ પર કાતર ફરી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!