ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો, રૂ. 200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો ભાવ


  • Published By :
  • Published Date : 2023-10-08 16:09:04

તહેવારોની સીઝન નજીક છે ત્યારે જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાના વિદાય બાદ ફરી એક વાર લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજી ઉપરાંત બટાકાના ભાવ પણ વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ માટે આ કાળઝાળ મોંઘવારીમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. 


ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


રાજ્યમાં આ વર્ષે શિયાળાની શરૂઆત પહેલા જ હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટા સિવાયના શાકભાજીનો ભાવ 80 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. અત્યારે વટાણા 200 રૂપિયા કિલો થઇ ગયા છે. ચોળી 160 રપિયા, ગુવાર 140 રૂપિયા આમ બધી શાકભાજીના ભાવ વધી ગયા છે. માલની આવક ઓછી હોવાને લીધે ભાવ વધી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 


વિવિધ શાકભાજીના ભાવમાં ભડકો


હાલ રિટેલ માર્કેટમાં વિવિધ શાકભાજીના ભાવ પર એક નજર કરીએ તો ગુવાર - 140 રૂપિયા કિલો, ભીંડા - 100, લીલી - તુવેર ગલકા - 60થી 80, રીંગણા - 100, ફ્લાવર - 100, તુરીયા - 80, સરગવો - 100, વટાણા- 300 રૂપિયા, કોથમીર 200 રૂપિયા કિલો, આદુ 250 રૂપિયા કિલો, રીંગણ 80 રૂપિયા કિલો,   ડુંગળી 40 રૂપિયા કિલો, ફુલાવર 120 રૂપિયા કિલો, લીંબુ 120 રૂપિયા કિલો જેટલો વધારો થયો છે.


શા માટે ભાવ વધ્યા?


શાકભાજીમાં ભાવ વધારા અંગે વેપારીઓના જણાવ્યા પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઉત્પાદન ઓછું થતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી લીલા શાકભાજીને લઈને આવતી ટ્રકોમાં ઘટાડો થયો છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આમ પણ ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ શિયાળામાં આવક વધતા આ ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેના કારણે લોકલ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેથી છેલ્લા 10 દિવસમાં આ ભાવવઘારો થયો છે. હજુ પણ ભાવ ઘટાડો થવામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. 


તહેવારોની સીઝન ટાણે જ ભાવ વધારો


જીવન જરૂરિયાતોમાં અસહ્ય ભાવ વધારો ગરીબ અને મધ્યમવર્ગ ખાસ કરીને સહન કરી રહ્યો છે. તહેવારોની સીઝન શરુ થઇ ચુકી છે અને તહેવારો ટાણે જ તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો સતત નોંધાતા કરોડો પરિવારોની થાળીમાંથી જાણે પોષણયુક્ત આહાર ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યમાં કુપોષણના રીપોર્ટ ચોંકાવનારા રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર યોજનાઓને આધારે જનતાને લોલીપોપ આપી રહી છે ત્યારે સવાલ અનેક છે અને સામાન્ય જનતા સરકારને પૂછી રહી છે કે થોડી મોંઘવારી ઓછી થશે તો આપોઆપ અનેક ઘરમાં પોષણયુક્ત ખોરાક બનતો થશે પરંતુ સરકારની તિજોરી ટેક્ષની આવકથી છલકાઈ રહી છે અને સામાન્ય પરિવારોના બજેટ પર કાતર ફરી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.