શક્તિપીઠ Ambajiના પ્રસાદમાં ઘીની બદલીમાં વપરાતું હતું વનસ્પતિનું તેલ, જાણો આ મામલે હજી સુધી શું કરાઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-10-13 09:05:09

લાખોની સંખ્યામાં ભક્તોએ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન ભાદરવી પૂનમના લોકમેળા દરમિયાન કર્યા હતા. લાખો ભક્તોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો. ત્યારે મેળો પૂર્ણ થયા બાદ મોહનથાળને લઈ એક રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં આ સેમ્પલ ફેઈલ થયા હતા. જે બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ આખી ઘટનાનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો હતો. માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આ મામલે વધુ એક અપડેટ સામે આવી છે. એવી પણ માહિતી સામે આવી છે મોહિની કેટરર્સના ત્રણ લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, 

palanpur-news-ambaji-mohanthal-prasad-adulteration-case-police-detains-four-people-211622

માઈ ભક્તોના સ્વાસ્થ્ય સાથે થતા હતા ચેડા 

ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ બનાવવામાં આવતો હતો તેના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા જેમાં સાબીત થયું હતું કે ઘી તો ભેળસેળવાળું હતું અને નકલી હતું. આના કારણે ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો હતો. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે ઘીમાં વનસ્પતિનું તેલ ઉમેરવામાં આવતું હતું. બીજી મહત્વની વાત સામે એ આવી છે કે અમૂલના નામે અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવતો હતો. મોહિની કેટરર્સ રીત સરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. 

Uproar in the Legislative Assembly over the issue of Mohanthal Prasad in  Ambaji temple | અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદના મુદ્દે વિધાનસભામાં હંગામો


મોહિની કેટરર્સે નીલકંઠ ટ્રેડર્સ પાસેથી લીધું હતું ઘી  

જ્યારે મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડ્રર્સ પાસેથી ઘીના ડબ્બા ખરીદતું હતું. વિચાર કરો ક્યાં વાત જાય. બજાર કરતા અડધા રૂપિયાનું ઘી મળતું હતું એટલે દરોડા પાડવામાં આવ્યા હતા. ગંભીર વાત તો એ છે કે જો આરોગ્ય વિભાગે દરોડા ન પાડ્યા હોત તો 5 હજારથી વધુ ડબ્બા ઘીનો મોહનથાળ બનાવી લીધો હોત અને ભક્તોએ તો માનો પ્રસાદ સમજીને એ પ્રસાદ લઈ પણ લીધો હોત. 


અવાર-નવાર હાથ ધરાવું જોઈએ ચેકિંગ 

જો કે સામેની બાજુ આ વાત સામે આવી એ પણ એટલી જ જરૂરી છે. કારણ કે ખબર પડી કે માના ધામમાં પણ શ્રદ્ધાના નામે ચેડા થાય છે તો રાજ્યાના બધા ધામોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે ક્યાંક ત્યાં તો ભેળસેળવાળી વસ્તુ વાપરવામાં નથી આવતીને. જાણવા માટે હવે બધી જ જગ્યાએ સમયાંતરે ચેકિંગ કરતું રહેવું જોઈએ. 




IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .