VCE કર્મીઓને સરકારનું લોલિપોપ, સી આર પાટીલની અંગત બાંહેધરી બાદ આંદોલન સમેટાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 16:17:44

ગુજરાત સરકાર સામે વિવિધ કર્મચારી સંગઠનોએ મોરચો માંડ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકાર પર પણ આ કર્મચારીઓ આંદોલનોની આગને ઠારવા માટે ઉપરથી ખુબ જ દબાણ છે. કર્મચારી સંગઠનો માટે સરકાર પાસેથી તેમની માંગણી સંતોષાવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. રાજ્ય સરકારના પ્રધાનો તેમના વિભાગ અંતર્ગત આવતા કર્મચારીઓને મનાવવામાં લાગ્યા હતા. આ દરમિયાન બહું ગાજેલું વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE)કર્મીઓનું આંદોલન પણ સમેટાઈ ગયું છે.


ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની બાંહેધરી બાદ નિર્ણય


રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વધુ એક હડતાળનો અંત આવ્યો છે. રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ ગઈ છે. ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સાથે  VCEના કર્મીઓના આગેવાનોએ બેઠક કરી હતી. બંને નેતાઓને કર્મીઓને આંદોલન સમેટી લેવા માટે આગ્રહ કર્યો હતો. અંતે પાટીલે બાંહેધરી આપ્યા બાદ VCEના કર્મઓના સંગઠનના પદાધિકારીઓએ આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો હતો.


કોણ છે VCE કર્મીઓ?


રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE(ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ 1 રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા હતા. તેમના આંદોલનના પગલે ગામડાંઓમાં રાજ્યસ્તરની સરકારી વહીવટી કામગીરી ખોરવાઇ હતી. 


VCE કર્મીઓની માંગ શું છે?


કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂક

સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતન

VCEને રક્ષણ આપવામાં આવે

VCE અને પરિવારને આરોગ્ય સુવિધા 

VCE અને પરિવારને વીમા કવચ આપવામાં આવે

કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે

ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો

ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

જોબની સિક્યુરિટી આપવામાં આવે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.