ગાંધીનગર બન્યું આંદોલનનગર, સત્યાગ્રહ છાવણીમાંથી સેંકડો VCE કર્મીઓની અટકાયત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:19:01


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યનાં વિવિધ કર્મચારી મંડળ પોતાની પડતર માંગોને લઈને સરકાર સામે મેદાને પડ્યા છે. કર્મચારીઓને  આશા છે કે આ જ એવો સમય છે જ્યારે સરકાર તેમની માંગોને સ્વીકારશે અથવા તો પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવશે. રાજ્યમાં 10 પણ વધુ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓ છેલ્લા ઘણા મહિનાથી સરકાર સામે માંગણીઓ સંદર્ભે આંદોલન ચલાવી રહ્યા છે. મોટી સંખ્યામાં VCE કર્મીઓ તેમની માંગણીઓની રજુઆત માટે ગાંધીનગર ઉમટ્યા છે. VCE કર્મીઓને રેલીને મંજુરી નહીં હોવાથી પોલીસે એક હજારથી વધુ VCE કર્મીઓની અટકાયત કરી લીધી હતી. આ સમયે પોલીસ સાથે ઘર્ષણના પણ દ્રષ્યો જોવા મળ્યા હતા.


CMની બાંહેધરી છતાં અમલ નહીં


રાજ્યભરની ગ્રામપંચાયત કચેરીઓમાં સરકારની ઓનલાઇન સેવા પુરી પાડતા કોમ્પ્યુટર સાહસિકો પગાર અને ભથ્થા સહિત સરકારી કર્મચારીનો દરજ્જો મેળવવા માટે સરકાર સામે છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. 27 ઓકટોબર 2021 ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ત્યારે પગાર ધોરણની માંગણીનું નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સુચના આપી કર્મીઓને સકારાત્મક બાંહેધરી આપેલ હતી. પંચાયત વિભાગ તથા મુખ્ય મંત્રીએ  આશ્વાસન આપ્યાને આજ 8 મહિના થવા છતાં કોઈ અમલવારી કરેલ નથી. ગુજરાત રાજ્યના 13,000 જેટલા VCE કર્મીઓને 1 પણ રૂપિયાનો પગાર આપવામાં આવતો નથી. 


VCE કર્મીઓની માંગણી શું છે ?


કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂંક

સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે

સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતનની માગ

VCE કર્મીને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવામાં આવે

VCEને રક્ષણ આપવામાં આવે, જોબની સિક્યુરિટી આપવામાં આવે

VCE અને પરિવારને આરોગ્ય સુવિધા આપવામાં આવે, વીમા કવચ આપવામાં આવે

VCEને ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો

ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે

VCEની કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે

(જેથી શોષણ અને ખોટું અધિકારીઓ દ્વારા થયુ દબાણ અટકાવી શકાય)

VCE કર્મીઓ સાથે થતો ભેદભાવ દૂર કરવામાં આવે


VCE કર્મીઓની અટકાયત કરાઈ


જિલ્લા અને તાલુકા મથકોએ આંદોલન કરવા છતા આ સાહસિકોની માંગણીઓ નહીં સંતાષાતા આજે સેંકડોની સંખ્યામાં VCE ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રજુઆત સાથે ઉમટયા હતા. જો કે, તેમની રેલીને કોઇ મંજુરી નહીં હોવાથી પોલીસ દ્વારા એક હજારથી વધુ સાહસિકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમને કરાઇ પોલીસ એકેડમી ખાતે લઇ જવામાં આવ્યા હતા. સરકાર સામે લડી લેવાના મુડમાં રહેલા આ VCE કર્મીઓ હજુ પણ આંદોલન ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી અને ચૂંટણીમાં સરકાર વિરોધી પ્રચાર કરવાનું પણ મન બનાવી લીધું છે. 


સરકારના વાંકે ગામ લોકોને હાલાકી


VCE કર્મીઓનું કામ પ્રત્યક્ષ રીતે લોકો સાથે જોડાયેલું હોય છે. એટલે જો આ કર્મચારીઓ તેમની માગોને મનાવવા માટે કામોથી અળગા રહે તો મોટી સંખ્યામાં લોકો પરેશાન થાય જ. VCE કર્મીઓ દ્વારા ગત તા. 11 મે 2022થી સરકાર પગારની જાહેરાત ન કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરેલ છે, ગામડાંઓમાં ખેડૂતોની રાજ્યસ્તરની યોજના સંલગ્ન કામગીરી ખોરવાઈ છે. આવકના દાખલા, રાશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, 7-12ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી, E-શ્રમ કામગીરી Dvs E-નિર્માણની સહિતની વિવિધ કામગીરી ન થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.