VCE કર્મીઓનું સસ્પેન્શન રદ્દ, વિકાસ કમિશનરે તમામ DDOને કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-17 14:02:34

ગુજરાત સરકારે VCE કર્મચારીઓનાં હિતમાં મોટો નિર્ણય કર્યો છે. વિકાસ કમિશનરની કચેરી દ્વારા છુટા કરવામાં આવેલા તમામ VCE કર્મચારીઓને પાછા લેવા માટેનો પત્ર લખી તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સુચના આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ 40 જેટલા VCE કર્મચારીઓને તેમની ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હતા.


 માટે છુટા કરાવાનો નિર્ણય પરત લેવાયો?


જિલ્લા વિકાસ  અધિકારીઓ દ્વારા 40 જેટલા VCE કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળના પ્રમુખ દ્વારા વિકાસ કમિશનરની કચેરીને પત્ર લખવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જો કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા 40 VCEને છૂટા કરાયા હતા. 


પડતર માંગો માટે રજુઆત કરી તો છુટા કરાયા


VCE કર્મચારીઓએ તેમની પડતર માંગોને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર ઘણા જુદાજુદા જિલ્લાના 40 વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક VCEને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા હતા. VCEની લડત સામે કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા VCEને અન્યાય કરવામાં આવ્યો હતો. 


કોણ છે VCE કર્મચારીઓ? 


ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતાકોમ્પ્યુટર ઓપરેટરોને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) કહેવામાં આવે છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે. ગુજરાતમાં લગભગ 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી ફરજ બજાવે છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ કેન્દ્રો આવેલા છે અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!