Vav seat by election - કોંગ્રેસના ઉમેદવાર બીજેપી કાર્યાલય જઈને ગુલાબ આપે! Geniben Thakor અને સી.જે.ચાવડા....


  • Published By :
  • Published Date : 2024-11-11 13:23:44

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક વાવ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે... આ બેઠકના ધારાસભ્ય ગેનીબેન હતા પરંતુ ગેનીબેન હવે સાંસદ બની જતા આ જગ્યા ખાલી પડી હતી જેને લઈ વાવમાં પેટા ચૂંટણી યોજાવાની છે... પેટા ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે.. પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓ ઉતર્યા છે.. પ્રચારનો આજે અંતિમ દિવસ છે.. ત્યારે આજે વાવથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે ભાગ્યે જ કદાચ જોવા મળશે..

દિગ્ગજ નેતાઓએ સંભાળ્યો છે પ્રચારનો મોરચો!

સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર જાહેર કર્યા છે.. અપક્ષ તરીકે માવજી ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે.... આ વખતે ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. ત્રણેય ઉમેદવારો ખૂબ પ્રચાર કરી રહ્યા છે.... અનેક એવા નિવેદનો સામે આવ્યા છે જેમાં તિખા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.... મંત્રીઓ, ધારાસભ્યોએ પ્રચારનો મોરચો સંભાળ્યો છે... 


ગેનીબેન ઠાકોર મળ્યા સી.જે.ચાવડાને....

ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે... ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભાગ્યે જ જોવા મળે છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો પ્રચાર કરવા માટે ગેનીબેન ઠાકોર રસ્તા ઉતર્યા હતા અને લોકોને ગુલાબ આપ્યું હતું... ભાજપના કાર્યાલય ગેનીબેન પહોંચ્યા હતા અને ત્યાં હાજર સી.જે.ચાવડાને ગુલાબ આપી ભેટ્યા હતા.. મહત્વનું છે કે સી.જે.ચાવડા પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા છે...   



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .