Vav seat by election - કોંગ્રેસના ઉમેદવાર બીજેપી કાર્યાલય જઈને ગુલાબ આપે! Geniben Thakor અને સી.જે.ચાવડા....


  • Published By :
  • Published Date : 2024-11-11 13:23:44

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક વાવ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે... આ બેઠકના ધારાસભ્ય ગેનીબેન હતા પરંતુ ગેનીબેન હવે સાંસદ બની જતા આ જગ્યા ખાલી પડી હતી જેને લઈ વાવમાં પેટા ચૂંટણી યોજાવાની છે... પેટા ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે.. પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓ ઉતર્યા છે.. પ્રચારનો આજે અંતિમ દિવસ છે.. ત્યારે આજે વાવથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે ભાગ્યે જ કદાચ જોવા મળશે..

દિગ્ગજ નેતાઓએ સંભાળ્યો છે પ્રચારનો મોરચો!

સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર જાહેર કર્યા છે.. અપક્ષ તરીકે માવજી ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે.... આ વખતે ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. ત્રણેય ઉમેદવારો ખૂબ પ્રચાર કરી રહ્યા છે.... અનેક એવા નિવેદનો સામે આવ્યા છે જેમાં તિખા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.... મંત્રીઓ, ધારાસભ્યોએ પ્રચારનો મોરચો સંભાળ્યો છે... 


ગેનીબેન ઠાકોર મળ્યા સી.જે.ચાવડાને....

ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે... ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભાગ્યે જ જોવા મળે છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો પ્રચાર કરવા માટે ગેનીબેન ઠાકોર રસ્તા ઉતર્યા હતા અને લોકોને ગુલાબ આપ્યું હતું... ભાજપના કાર્યાલય ગેનીબેન પહોંચ્યા હતા અને ત્યાં હાજર સી.જે.ચાવડાને ગુલાબ આપી ભેટ્યા હતા.. મહત્વનું છે કે સી.જે.ચાવડા પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા છે...   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે