Vavના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પક્ષપલટો કરનાર કોંગ્રેસના નેતાઓ માટે આપ્યું નિવેદન, કહ્યું પક્ષપલટો કરી ભાજપમાં જોડાનાર.... સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2024-03-06 13:30:41

એક તરફ કોંગ્રેસ ખાલીખમ થઈ રહી છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે જ પીઢ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું. હાલની પરિસ્થિતિ જોતા જો આપણે એવું કહીએ કે કોંગ્રેસના દિવસો ખરાબ ચાલી રહ્યા છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. કોંગ્રેસ પક્ષને છોડી ભાજપમાં જોડાઈ રહેલા ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  હાલ ભાજપનું પલડું ભારે છે એટલે સ્વાર્થી લોકોએ તે બાજુ ઝૂકી રહ્યા છે. આ બાજુ પલળું ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે.  

અનેક ધારાસભ્યો છોડી રહ્યા છે કોંગ્રેસનો હાથ!

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. યાત્રાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ યાત્રા એવા વિસ્તારોમાંથી નીકળે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ હોય. આદિવાસી વિસ્તારોને કવર કરવાની કોશિશ આ યાત્રામાં કરવામાં આવી રહી છે. એક તરફ રાહુલ ગાંધીના આગમનને લઈ તૈયારી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પોતાના સંગઠનને પકડી રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પક્ષને છોડી જઈ રહ્યા છે. પક્ષપલટાની મોસમ જામી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ કોંગ્રેસ યુક્ત બનતી જશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. આગામી સમયમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસને છોડી જઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.


ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન અને કહ્યું કે... 

આ બધા વચ્ચે જ્યારે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે તે બાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, જે લોકો કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ એમની  વિચારધારા છે. હું એમાં પડવા માંગતી નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહીને અનેક હોદાઓ ઉપર રહ્યા, કોંગ્રેસે તેમને તકો આપી અને એવા લોકો કોંગ્રેસના ખરાબ સમયમાં કોંગ્રેસ છોડે એટલે એ વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓની લાગણી દુભાતી હોય છે. આજે જે લોકો પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે તે સ્વાર્થી નેતાઓ છે. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.