સચિન પાયલોટના ધરણાંને વસુંધરા રાજેએ લાઈવ જોયું? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટે મચાવ્યો હંગામો!


  • Published By :
  • Published Date : 2023-04-12 09:56:48

રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ જયપુરના શહીદ સ્મારક સ્થળ પર એક દિવસના ધરણા પર બેઠા હતા. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલી રહેલી અદાવત સામે આવી હતી. પરંતુ ચર્ચામાં તો રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે પણ રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચાઓ હાલ થઈ રહી છે. સચિન પાયલોટ જ્યારે ધરણા પર બેઠા હતા ત્યારે તેનું લાઈવ સ્ટીમિંગ ફેસબુક પર ચાલી રહ્યું હતું. એક સ્ક્રીનશોટના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વસુંધરા રાજે પણ સચિન પાયલોટના ધરણા લાઈવ જોઈ રહ્યા હતા. જોકે જમાવટ આ સ્ક્રીનશોર્ટની પુષ્ટિ નથી કરતું.


ફેસબુક પર ધરણાંનું થઈ રહ્યું હતું લાઈવ સ્ટ્રીમિંગ! 

રાજસ્થાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ડે. સીએમ સચિન પાયલોટે પોતાની પાર્ટી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બાયો ચઢાવી છે. કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. જયપુરના શહીદ સ્મારક સ્થળ પર ધરણા ધર્યા હતા. આ ધરણા માટે કોંગ્રેસે સમર્થન આપ્યું ન હતું. હાઈકમાન્ડ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી હતી પરંતુ તે ઉપરાંત પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા. આ ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક પર કરવામાં આવી રહ્યું હતું. 


વસુંધરા રાજે જોઈ રહ્યા હતા ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ!  

એક સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન પાયલોટના ધરણાનું લાઈવ સ્ટ્રીમિંગ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ જોઈ રહ્યા હતા. રાજે ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ માથુર પણ આ લાઈવ જોઈ રહ્યા હતા. આ વાયરલ થઈ રહેલા સ્ક્રીનશોર્ટની પુષ્ટિ જમાવટ કરતું નથી. 


પ્રેસ કોન્ફરન્સમાં ધરણાં અંગેની પાયલોટે આપી હતી માહિતી!

જે સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યો છે તેમાં વસુંધરા રાજેનું વેરિફાઈડ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વાત એટલા માટે ચર્ચાનો વિષય બની રહી છે કારણ કે સચિન પાયલોટને કોંગ્રેસનું સમર્થન નથી મળી રહ્યું. હાઈકમાન્ડ સચિન પાયલોટથી દૂરી બનાવા માગે છે. 9 એપ્રિલના રોજ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી ધરણાં અંગેની જાહેરાત કરી હતી. 


હાઈકમાન્ડની ચેતવણી બાદ પણ સચિને કર્યા હતા ધરણાં!

વસુંધરા રાજેની સરકાર દરમિયાન કથિત રીતે થયેલા ઘોટાળાઓ અંગે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટનો દાવો છે કે આ મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકમાન્ડની ચેતાવણી બાદ પણ સચિન પાયલોટે ધરણાં ધર્યા હતા ત્યારે આવનાર સમયમાં રાજનીતિનો કયો નવો રંગ જોવા મળે છે તે જોવું રહ્યું.                    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.