AAPના પૂર્વ નેતા વશરામ સાગઠિયા 30 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા, શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-21 16:27:37

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આપના રાજકોટના અગ્રણી નેતા વશરામ સાગઠિયાએ તેમની બરતરફી મુદ્દે જો કે મોટો ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. આજે વશરામ સાગઠિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 



સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા 


આપ નેતા વશરામ સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમા જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો હતો.આપ પાર્ટીમાંથી મોહભંગ થનાર વશરામ સાગઠિયાએ તેમના સમર્થકો સાથે ઘર વાપસી કરતા કોંગ્રેસમાં આનંદનો માહોલ છે.


કોંગ્રેસમાં જોડાવાની અગાઉ કરી હતી પુષ્ટી


ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળતા પહેલા પદયાત્રા કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પહોંચતા રાજકારણ ગરમાયું હતું. અંતે આમ આદમી પાર્ટીએ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જમાવટ સાથે વાત કરતી વખતે પણ સાગઠીયાએ આજે કોંગ્રેસમાં જોડાવાની પુષ્ટી કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.