AAPના પૂર્વ નેતા વશરામ સાગઠિયા 30 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા, શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-21 16:27:37

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આપના રાજકોટના અગ્રણી નેતા વશરામ સાગઠિયાએ તેમની બરતરફી મુદ્દે જો કે મોટો ખુલાસો કર્યો હતો કે તેમણે પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. આજે વશરામ સાગઠિયા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 



સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા 


આપ નેતા વશરામ સાગઠિયા સહિત 30 આગેવાન કોંગ્રેસમા જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે તેમણે ખેસ ધારણ કર્યો હતો.આપ પાર્ટીમાંથી મોહભંગ થનાર વશરામ સાગઠિયાએ તેમના સમર્થકો સાથે ઘર વાપસી કરતા કોંગ્રેસમાં આનંદનો માહોલ છે.


કોંગ્રેસમાં જોડાવાની અગાઉ કરી હતી પુષ્ટી


ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદ સંભાળતા પહેલા પદયાત્રા કરી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા પહોંચતા રાજકારણ ગરમાયું હતું. અંતે આમ આદમી પાર્ટીએ તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જમાવટ સાથે વાત કરતી વખતે પણ સાગઠીયાએ આજે કોંગ્રેસમાં જોડાવાની પુષ્ટી કરી હતી.



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.