રખડતા પશુને કારણે વંદે ભારત ટ્રેનને પહોંચ્યું નુકસાન, ક્યાં સુધી વંદે ભારત ટ્રેનના થતા રહેશે અકસ્માત?


  • Published By :
  • Published Date : 2022-12-02 08:40:24

રાજ્યમાં રખડતા પશુઓની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. અનેક વખત રખડતા પશુઓને કારણે અકસ્માત સર્જાતા હોય છે જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. પરંતુ અનેક વખત રેલ્વે ટ્રેક પર પણ પશુઓ આવી જતા હોય છે જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચતું હોય છે પરંતુ પશુના મોત પણ થતા હોય છે. મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માત નડ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે.


અકસ્માત સર્જાતા 10-15 રોકી દેવાઈ ટ્રેન

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને વાપી નજીક અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ટ્રેક પર ગાય આવી જતા ફરી એક વખત વંદે ભારત ટ્રેનને નુકસાન પહોંચ્યું છે. અકસ્માત થતા ટ્રેનને 10-15 મીનિટ માટે રોકી દેવામાં આવી હતી અને સામાન્ય મરામત કરી ટ્રેનને ફરી મુંબઈ તરફ જવા રવાના કરાઈ દેવાઈ હતી. 


અંદાજીત પાંચમી વખત ટ્રેનને નડ્યો અકસ્માત 

અનેક વખત વંદે ભારત ટ્રેનને રખડતા પશુને કારણે અકસ્માત નડ્યો છે. જ્યારથી ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી ટ્રેનનો પાંચમી વખત અકસ્માત થયો અને મુખ્યત્વે આ અકસ્માત રખડતા પશુઓને કારણે સર્જાય છે. 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. રાજ્ય સરકારે પોતાના બજેટમાં વધુ વંદે ભારત ટ્રેનને દોડાવાની જાહેરાત કરી છે. પરંતુ આ વંદે ભારત ટ્રેનને અનેક વખત અકસ્માત નડી રહ્યા છે. જેને કારણે ટ્રેનને તો નુકસાન પહોંચે છે પરંતુ પશુધનને પણ હાની પહોંચે છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.