વંદે ભારત ટ્રેન પર ઘાત બેસી??? 24 કલાકની અંદર પશ્ચિમબંગાળમાં બીજી વખત ટ્રેન બની પથ્થરમારાનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-01-04 12:00:27

વંદે ભારત ટ્રેન પર ફરી એક વખત પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. પશ્મિબંગાળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન પર સતત બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ગઈ કાલે જ ટ્રેનને પથ્થરમારાનો સામનો કરવો પડયો હતો ત્યારે 24 કલાકમાં બીજી વખત ટ્રેન પર હુમલો થયો છે. જેને કારણે રેલ્વે વિભાગ દોડતું થયું છે.

  

બીજી વખત ટ્રેન પર થયો પથ્થરમારો 

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્મિબંગાળમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનની સુવિધાને થોડા દિવસો જ વિત્યા છે પરંતુ ટ્રેન પર અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ટ્રેન પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બીજી વખતનો હુમલો ફાંસીદેવા વિસ્તાર નજીક આ હુમલો થયો છે. 


પથ્થરમારો થતા બારીના કાંચ તૂટ્યા

સતત બીજી વખત પશ્ચિમ બંગાળની વંદે ભારત ટ્રેન પર હુમલો થયો છે. કાલે માલદા સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. બીજી વખતનો હુમલો દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડી સબડિવિઝનના ફાંસીદેવા નજીક હુમલો થયો છે. આ પથ્થરમારાને કારણે ટ્રેનના C-3 અને C-6 કોચની બારીને નુકસાન પહોંચ્યું છે. ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ અનેક વખત અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. રખડતા પશુઓ ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાય છે. ઉપરાંત વંદે ભારત ટ્રેનને નુકસાન પણ પહોંચે છે.      

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.