ગાયને કારણે વલસાડ નજીક વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-10-29 11:36:42

વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ફરી એક વખત ગાય વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. ટ્રેનની જ્યાંરથી શરૂઆત થઈ છે ત્યારથી આ ત્રીજી વખત ટ્રેનનો અકસ્માત થયો છે. ટ્રેનને નુકસાન પહોંચતા રેલવે કર્મચારીઓ દોડતા થઈ ગયા છે.  

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

ત્રીજી વખત ટ્રેનને નડ્યો અકસ્માત

પ્રધાનમંત્રીએ એક મહિના પહેલા જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અનેક વખત ટ્રેનને અકસ્માત નડી રહ્યો છે. ત્રીજી વખત ટ્રેનને વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અકસ્માત નડ્યો છે. આ વખતે પણ ગાય અડફેટે આવી જતા ટ્રેનને ભારે નુકસાન થયું છે. વંદે ભારત ટ્રેનનો અકસ્માત પશુ સાથે થઈ રહ્યો છે. કોઈ વખત ગાય આડે આવી જાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જાય છે. પહેલા રખડતા પશુઓ રસ્તા પર ચાલતા લોકોને હેરાન કરતા હતા જ્યારે હવે ટ્રેનને પણ પશુઓ નડી રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.