રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને ફરી એક વખત નડ્યો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા ગાય ઉપરાંત શૌચ કરી રહેલા વ્યક્તિનું પણ થયું મોત!


  • Published By :
  • Published Date : 2023-04-20 16:56:09

વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા અનેક વખત ગાયોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. આ વખતે પણ ગાય વંદે ભારત ટ્રેનના રસ્તા પર આવી ગઈ હતી અને તેનું મોત નિપજ્યું હતું, પરંતુ આ અકસ્માતમાં એક નહીં પરંતુ બે મોત થયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. ટ્રેનની ટક્કર વાગતા ગાય લગભગ 30 મીટર સુધી ઉછળી હતી. ત્યારે ગાયની અડફેટે આવતા શૌચ કરી રહેલા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. 


30 મીટર ગાય ઉછળી અને શૌચ કરી રહેલા વૃદ્ધ પર આવી પડી! 

આપણે ત્યાં ભલે સ્વચ્છ ભારત અભિયાનની વાત કરવામાં આવતી હોય તો પણ આપણે ત્યાં અનેક લોકો શૌચ ક્રિયા કરવા માટે રેલવે ટ્રેકની જગ્યાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ જ આદતને કારણે એક વૃદ્ધની મોત થઈ ગઈ છે. તમને થતું હશે કે વંદે ભારત ટ્રેનના અકસ્માતની વાત વચ્ચે શા માટે સ્વચ્છ ભારતની વાત ક્યાંથી વચ્ચે આવી ગઈ. પરંતુ આ કેસ પણ વંદે ભારત ટ્રેનના અકસ્માત સાથે જોડાયેલો છે. ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત થયું છે. અને 30 મીટર દૂર સુધી ગાય ઉછળી હતી. ગાય ઉછળવાને કારણે શૌચ કરી રહેલા વૃદ્ધનું પણ મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જે વૃદ્ધનું મોત થયું છે તેમનું નામ શિવદયાલ શર્મા છે.                  



વડાપ્રધાન ટ્રેનને થોડા સમય પહેલા જ પીએમ મોદીએ બતાવી હતી લીલી ઝંડી!

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. પરંતુ વંદે ભારત ટ્રેનના અનેક વખત અકસ્માતો સર્જાયા છે. મુખ્યત્વે ગાય ટ્રેક પર આવી જતા ટ્રેન અકસ્માતનો ભોગ બની જતી હોય છે. ટ્રેનની સાથે સાથે ગાય પણ મોતને ભેટતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. ગાય અડફેટે આવી જતાં ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. દિલ્હીથી અજમેર જતી વંદે ભારત ટ્રેન મંગળવારે રાતના આઠ વાગ્યે કાલીમોરી ફાટકેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગાય અડફેટે આવી ગઈ હતી. અને ગાયને કારણે એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડતા રહેશે? 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!