વંદે ભારત એક્સપ્રેસને સતત બીજા દિવસે પણ નડ્યો અકસ્માત, આણંદ નજીક સર્જાઈ દુર્ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:01:12

રસ્તા પર રખડતા ઢોર માત્ર માણસોને જ નહીં પણ હવે ટ્રેનને પણ અડફેટે લઈ રહી છે. આજે સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી.આ દુર્ઘટનામાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાન થયું છે. આ ઘટના આજે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી જોકે, રાહતની વાત એ છે કે, તમામ યાત્રીઓ સુરક્ષિત છે. 


ગઈ કાલે પણ વંદે ભારત ટ્રેન સાથે સર્જાયો હતો અકસ્માત


ગઈકાલે પણ અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો છે. જો કે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે. ગઈકાલે સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વટવા નજીક એકાએક ભેંસોનું ટોળું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં ભેંસોના મોત નિપજ્યા હતા.


RPFએ ભેંસના માલિકો સામે નોંધાવી ફરિયાદ


વંદેભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગઈ કાલે અકસ્માત સર્જાયો આ મામલે રેલવે સુરક્ષા દળે ગંભીરતા દાખવી ભેંસના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકની ઓળખ કરી શકી નથી. 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.