Valsad : Asaram Bapuની પૂજા કરવા બદલ ત્રણ શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-02 17:51:30

છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ અને જમીન પર કબજા મામલે આસારામ બાપુ સજા ભોગવી રહ્યા છે. આસારામ બાપુ ભલે જેલમાં છે પરંતુ તેમના અનુયાયીઓને કારણે તે ચર્ચામાં રહે છે. ફરી એક વખત આસારામ બાપુને લઈ સમાચાર સામે આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાતી હોય છે ત્યારે આસારામ બાપુએ આ દિવસને માતૃ-પિતૃની પૂજા કરવી જોઈએ તેવી વાત કરી હતી. જે અંતર્ગત દર વર્ષે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. 

આસારામ બાપુ - વિકિપીડિયા

10 મહિના બાદ 33 શિક્ષકોને ફટકારવામાં આવી નોટિસ!

ત્યારે કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરી હતી જેના અનેક ફોટા તેમજ વીડિયો વાયરલ થયા હતા. વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ વિવાદ છેડાઈ ગયો હતો કારણ કે તેમાં આસારામ બાપુનો ફોટો લગાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી. ફરી એક વખત આ મુદ્દો એટલા માટે ઉઠ્યો છે કારણ કે આટલા મહિના પૂર્ણ થયા બાદ વલસાડ  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.