Valsad Loksabha Seatના ઉમેદવાર Anant Patelને જ્યારે જમાવટની ટીમે પૂછ્યું કે જો તે સાંસદ બની જાય છે તો શું કામ કરશે? સાંભળો જવાબમાં તેમણે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:03:58

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં મતદાન થવાનું છે.. ઉમેદવારોના પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે... પ્રિયંકા ગાંધી આજે વલસાડમાં અનંત પટેલના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા.. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. જમાવટની ટીમ વલસાડ પહોંચી હતી અને વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી. જો તે સાંસદ બની જશે તો તે શું કરશે તેની વાત જમાવટની ટીમને જણાવ્યું હતું.  

અનંત પટેલે જણાવ્યું તેમનું વિઝન

જમાવટની ટીમ સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે કપરાડા, ડાંગ,ધરમપુર,વાંસદા જેવા વિસ્તારોમાં તે ફર્યા ત્યારે તેમને ખબર પડી કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે.. નલ સે જલના દાવા કરવામાં આવે છે પરંતુ ક્યાંક નળ પહોંચ્યા છે તો ક્યાં પાઈપલાઈન નથી... નળ છે પણ પાણી આવતું નથી.. કપરી પરિસ્થિતિ છે.. તેમણે કહ્યું કે માછીમારોને જમીન આપી હતી તે તો ઉદ્યોગ માટે આપી દેવામાં આવી.. શિક્ષણને લઈને પણ તેમણે વાત કરી હતી, તેમણે કહ્યું કે ગામડાની વર્ગશાળાને બંધ કરવાની વાત કરવામાં આવી રહી છે...તે ઉપરાંત નોકરીઓને લઈ પણ તેમણે વાત કરી હતી.. 


ભાજપ માટે શું કહ્યું પ્રિયંકા ગાંધીએ? 

ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે  'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.' 

પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર 

વધુમાં તેમણે કહ્યું કે અરે મોદીજી કેટલા મોટા નેતા છે એની સાથે આપણે શું લેવા દેવા. જો આવડા મોટા નેતા તમને પાણી નથી આપી શકતા, તમારૂ ઘર નથી બનાવી શકતા, તમને રોજગાર નથી આપી શકતા. તો આપણે શું તેની માફી માગવી જોઈએ? કે આપણે બેરોજગાર, મોંઘવારીની વાતો ઉઠાવી. જ્યારે જ્યારે મંચ પણ આવે ત્યારે ત્યારે માફી મંગાવો કે અમારી સામે આવીને તમે કેમ આવી ઉલટી સીધી વાતો, આવી હલકી વાતો કેમ કરી? પુછો તેઓને કે પ્રધાનમંત્રીની દેશ પ્રત્યે શું કોઈ જવાબદારી નથી હોતી? જનતા સામે મંચ પર આવો ત્યારે સાચુ બોલો. 


ધવલ પટેલ Vs અનંત પટેલનો જામશે જંગ 

મહત્વનું છે કે વલસાડ બેઠક માટે એવું માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટીના ઉમેદવારની જીત  થાય છે તેની સરકાર સત્તામાં બને છે... આ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકીટ આપી છે.. પટેલ Vs પટેલનો જંગ આ બેઠક પર જોવા મળવાનો છે..   



તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન "₹"ના સિમ્બોલને બદલવાની જાહેરાત કરી છે . તેની જગ્યાએ તેમણે તમિલ ભાષાના શબ્દ "રુબિયા"નો પેહલો શબ્દ "ரூ"લેવાની જાહેરાત કરી છે . આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઇને સત્તાધારી પક્ષ ડીએમકે "ઉત્તર"ની વિરુદ્ધમાં "દક્ષિણ" કરવાનો પ્રયાસ કરી રહી છે . કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો તમિલનાડુમાં પ્રભાવ વધી રહ્યો છે જેને લઇને ડીએમકે ચિંતિત છે .

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.