Mehsanaમાં વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, PM Modi અને અયોધ્યાથી મહેમાનો આવશે ગુજરાત!


  • Published By :
  • Published Date : 2024-02-06 12:09:57

22 જાન્યુઆરીના દિવસે રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી.  પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી કરોડો લોકો બન્યા હતા. ત્યારે ગુજરાતના મહેમાન પીએમ મોદી અને અયોધ્યાના લોકો બનાવાના છે. વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં પીએમ પણ ભાગ લેશે



16થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે કાર્યક્રમ 

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. અનેક દાયકાઓ બાદ આવી ક્ષણ આવી હતી જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના અનેક સાધુ-સંતો અને મહંતો ભાગ લેશે. અયોધ્યાથી પણ વિશેષ મહેમાનો ગુજરાતના મહેસાણામાં આવવાના છે. 


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી આપશે હાજરી 

મળતી માહિતી અનુસાર ત્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, મહેસાણાના વાળીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારી પણ તેજ કરી દેવાઈ છે. મહેસાણાના વિસનગર ખાતે આકાર લઈ રહેલું ભવ્ય વાળીનાથ મંદિર સોમનાથ મંદિર પછીનું સૌથી મોટું શિવાલય હશે. મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર આખા ગુજરાતનું આસ્થા અને અધ્યાત્મનું કેન્દ્ર છે. બળદેવગીરી મહારાજનું આ મંદિર બનાવવા માટેનું સ્વપ્ન હતું. 


અમિત શાહ તેમજ આનંદીબેન પટેલ પણ રહેશે કાર્યક્રમમાં હાજર  

વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને મહંત જયરામગીરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ દેશના PM નરેન્દ્ર મોદી મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિર પર ઉપસ્થિત રહેવાના છે. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. દેશના અનેક સંતોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.