વજુભાઈ વાળાએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં, ગાંધીજી ખરેખર શું બોલ્યા હતા?


  • Published By :
  • Published Date : 2022-12-09 18:33:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના અગ્રણી નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વજુભાઈ વાળા કોંગ્રેસનું વિસર્જન કરવાનું કહીં રહ્યા છે અને તેમના આ વીડિયોમાં ગાંધીજીનો પણ ઉલ્લેખ કર્યો. જો કે આ વીડિયો બાદ એ ચર્ચા ચાલી છે કે ખરેખર ગાંધીજીએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં હતી ખરી?


કોંગ્રેસનું વિસર્જન કરવાનું શા માટે કહ્યું હતું?


આઝાદીની લડતમાં કોંગ્રેસનો એક સંસ્થા તરીકે સિંહફાળો રહ્યો છે. જો કે દેશ સ્વતંત્ર થયા બાદ કોંગ્રેસની શું ભૂમિકા રહેશે તે અંગે અંગે પૂછવામાં આવતા ગાંધીજીએ કૉંગ્રેસને દેશની 'જૂનામાં જૂની રાજકીય સંસ્થા' ગણાવીને ગાંધીજીએ કહ્યું હતું, કે સ્વતંત્રતાનાં પહેલાં પાંચ વરસ દરમિયાન આખા દેશની તાકાત દેશના ઘડતરમાં નહીં જોતરાય, તો ત્રીસ વરસની આઝાદીની લડત પર પાણી ફરી જશે. તેથી તેમણે કોંગ્રેસને રાજકીય રીતે વિખેરી એક સામાજીક સંસ્થામાં પરિવર્તીત કરવાની વાત કહીં હતી. ગાંધીજીએ કહ્યું હતું કે રાજકીય આઝાદી મળી ગયા પછી આર્થિક, સામાજિક, નૈતિક સ્વતંત્રતા માટે કૉંગ્રેસે કામ કરવાનું છે અને એ રાજકીય નહીં, પણ રચનાત્મક માર્ગે, અને તે કામ ગામડાંમાં રહીને જ થઈ શકશે. આઝાદી બાદ કોંગ્રેસના યોગદાનની પ્રસંશા કરતા ગાંધીજીએ કહ્યું હતું કે 'અનેક લડતો લડીને કોંગ્રેસે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી અને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો તે મરી જાય.' ગાંધીજીએ કૉંગ્રેસનો રાજકીય આંદોલન માટે ઉપયોગ કર્યો ખરો પણ તેને માત્ર રાજકીય સંસ્થા ગણવાને બદલે રાષ્ટ્રીય સંસ્થા તરીકે જોઈ હતી. આઝાદી મળી ગયા પછી લોકોના ઘડતરની જવાબદારી કૉંગ્રેસની છે, એવું ગાંધીજીને લાગતું હતું.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.