વ્હાલી દીકરી યોજના


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 14:45:07

વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજયની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને ત્રણ તબક્કે મળીને ૧ લાખ ૧૦ હજારની સહાય આપવામાં આવે છે જેમાં દીકરી ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે  ૪,૦૦૦, ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે ૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે ૧,૦૦,૦૦૦ મળી કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

મહિલા અને બાળ વિકાસ દ્વારા સમાજમાં દીકરીઓના જન્મ દરને સુધારવા તેમજ તેના શિક્ષણ દરને વધારવા રાજ્યમાં વ્યાપક અભિયાન રૂપે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ધટાડી, દીકરીઓના શિક્ષણને ઉત્તેજન આપવું. દીકરી અને મહિલાઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. તથા બાળ લગ્ન અટકાવવા. દીકરીઓના કલ્યાણ, તેમજ સમુદ્ધિ માટે  માટે જુદી-જુદી યોજનાઓ કાર્યરત છે.તેવી જ વ્હાલી દીકરી યોજના” જેમાં દીકરીઓને ભણતર અને લગ્ન સહાયના ઉદ્દેશને સાર્થક કરે છે

આ યોજનાનો લાભ એવી દીકરીઓને મળશે જેનો જન્મ વર્ષ 2જી ઑગસ્ટ 2019 ના રોજ અને ત્યાર બાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે. દંપતિના બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ.ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દીકરીના માતા- પિતાની સંયુક્ત આવક 2,00,000/- (રૂપિયા બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ. દીકરીને એકલ માતા કે પિતા હોય તો માતા કે પિતાની આવક ધ્યાને લેવાશે.અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી (ગાર્ડીયન)ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાશે.દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપત્તિની આવક મર્યાદા ધ્યાને લેવાશે. 

વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં સુરેન્દ્રનગર જિલ્લાની ૧,૫૯૮ દીકરીઓને કુલ રૂ. ૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ હોવાનું રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ  વિધાનસભામાં પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં આમ જણાવ્યું હતું.  






રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .