વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું, રાજીનામું કેમ આપ્યું તેનું કારણ જણાવ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-25 13:04:24

ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. કોણ આપશે તેની અટકળો હતી કારણ કે ત્રણ ધારાસભ્યોના નામની ચર્ચા થઈ રહી હતી. એક હતા અર્જુન મોઢવાડિયા, બીજા હતા ગુલાબસિંહ ચૌહાણ અને ત્રીજા હતા અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા.. પછી એવી માહિતી સામે આવી વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે. વિધાનસભા અધ્યક્ષને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા જ્યારે તે પહોંચ્યા હતા તે પહેલા તેમણે નિવેદન આપ્યું હતું કે તે રાજીનામું આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તે આગામી દિવસોમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.

   

Image

ગમે ત્યારે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં!

ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છે. ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. કોંગ્રેસને 17 સીટો મળી હતી, અપક્ષની 3 અને આમ આદમી પાર્ટીની 5 સીટો હતી. થોડા દિવસો પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી ચૂક્યા છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે આજે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો બાદ તે ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે હમણાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.