વડોદરા કરૂણાંતિકા : જો મૃતક બાળક બોલી શકતું તો રાજ્યના મુખ્યમંત્રીને એ પ્રશ્ન ચોક્કસ પુછતું કે દાદા....


  • Published By :
  • Published Date : 2024-01-19 15:10:06

અમે માનીએ છીએ કે કોઈપણ રાજ્યના મુખિયા સામે આ રીતે નાગરીક કરગરતો હોય તો એમને ના જ ગમ્યું હોય, અમે એ પણ જાણીએ છીએ કે કોઈ રાજ્યનો સીએમ એવું નથી ઈચ્છતો કે રાજ્યના બાળકો આવી રીતે તડપી તડપીને મરે, અમે એ પણ જાણીએ છીએ કે કાળજુ તો મુખ્યમંત્રીનું પણ કંપ્યું હશે કેમ કે એ પણ બાપ છે. પણ અમે એક વાત નથી જાણતા કે સતત આવી દુર્ઘટનાઓ પછી પણ રાજ્યના સત્તાધીશોની સંવેદનાઓ વહ્યે જાય પણ મક્કમતાથી નિર્ણયો ના લેવાય તો આ બધી જ વાતોનું શું કરી લઈશું? 

માત્ર હપ્તાના જોર પર ચાલતી એક્ટિવી બંધ કરાવો

સંવેદના તો અમે પણ પ્રકટ કરી શકીએ છીએ, દુ:ખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ, પણ અમારા અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો, તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો આ બધું જ રોકી શકો એમ છો. પહેલા બીજા ધોરણના બાળકની લાશ ઘરે આવે, અને બાળકનું શરીર જોઈને થાય કે હજું હમણાં બોલી ઉઠશે મારુ ફુલ, પણ એ નથી બોલતું, નિશ્ચેતન હોય છે. પંખી પીંજરુ છોડીને ઉડી ગયું હોય છે, પણ... જો એ બોલી શકતું તો રાજ્યના મુખ્યમંત્રી એ તમને પ્રશ્ન ચોક્કસ પુછતું કે દાદા...દરેક શહેરમાં મનોરંજનના નામે કોઈ જ પરવાનગી વગર, માત્ર હપ્તાના જોરે ચાલતી આ એક્ટીવીટી બંધ કરાવોને. એ કહેતું તમને કે બોટીંગ કરવાનું છે એવું સાંભળતા જ એ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા, એમને નહોતી સમજ કે 15એ બેસાય કે 30એ, એમને નહોતી ખબર કે સેફ્ટી જેકેટનો મતલબ શું થાય છે. એમને નહોતી ખબર કે એમનાં જીવ આટલા સસ્તા હશે. કે એમનાં મૃત્યું પછી તરત જ, ક્ષણનો વિલંબ કર્યા વગર મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રીના કાર્યાલયો સહાયના નામે કિંમત કરી નાખશે, દરેક લોકો કહેશે કે જવાબદારોને છોડીશું નહીં, પણ... આ બેજવાબદાર લોકોને આવી જવાબદારી અપાય શું કામ છે એનો જવાબ આપશો? 


શું કામ બાળકોનો સોદો કરી દેવાય છે? 

વડોદરાની કરુણાંતિકામાં સામે આવેલા દરેક તથ્યો સરકારને પ્રશ્ન કરે છે. પુછે છે કે થોડા રૂપિયાઓ માટે શું કામ બાળકોના જીવનો સોદો કરી દેવાય છે. હિન્દીમાં એક વાક્ય છે... જનાઝા જીતના છોટા હોતા હૈ, કંધોં પર ઉતના હી ભારી લગતા હૈ... નાના બાળકોનું મૃત્યુ અભિશાપ જેવું લાગે છે. આપણા પૂર્વજોએ લખ્યું હતુ ઈન્સાફ કી ડગર પે, બચ્ચોં દીખાઓ ચલ કે, યે દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હી હો કલ કે. પણ આ લોકો શું શીખીને મોટા થશે? જેણે ઈન્સાફનો રસ્તો બનાવવાનો હતો આજે એ જ લોકો ઈન્સાફ માટે કગરે છે. જો તમે ઈચ્છો છો કે આ બંધ થાય તો હપ્તારાજ બંધ કરવું પડશે.


પ્રશ્નો અંતહિન છે પરંતુ જવાબો કદાચ અનંત હશે

નીતિ - નિયમોથી ઉપર કોઈના પણ માટે કશું જ ના હોવું જોઈએ. ખાલી આ દુર્ઘટનામાં સજાની નહીં, આવનારા સમયમાં કોઈ જ આવી દુર્ઘટના નહીં એની ખાતરી અમારે જોઈએ છે. અમારે ખાતરી જોઈએ છે કે બાળકોને નાગરીક બનાવવા માટે સરકાર પણ મદદ કરશે અને બાઈકના હેલ્મેટથી માંડીને નદીમાં લાઈફ જેકેટનું મહત્વ સમજાવશે. છેલ્લી ખાતરી આ દેશના ચાણક્યો પાસેથી જોઈએ છે, જે જરૂર પડે પોતાને માથી વિશેષ કહી દે છે, પણ બાળકોના જીવન માટે બોલવાનું આવે છે ત્યારે ચૂપ થઈ જાય છે. એ શાળાને દોષી કેમ ના માનવી જેણે બાળકોની સુરક્ષાની કોઈ જ ચિંતા કર્યા વગર આ પીકનીક કરાવી. પ્રશ્નો અંતહિન છે, જવાબો પણ કદાચ અનંત હશે, આ માયાજાળમાં નથી પડવું. આ બાળકોને ન્યાય તો જ કહેવાશે જો ફરી આવી દુર્ઘટના નહીં થાય. તક્ષશીલા અને મોરબીના લોકોને તો ન્યાય ના આપી શક્યા. આમને મળે ઈન્સાફ એવી અપેક્ષા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!