Vadodara હરણી લેક દુર્ઘટના અંગે બોલ્યા ન્યૂ સનરાઇઝ શાળાના સંચાલક, જાણો દુર્ઘટના અંગે અને ઓવરલોડેડ બોટ અંગે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-19 15:18:06

ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની ચર્ચા થઈ રહી છે. હરણી લેકમાં વિદ્યાર્થીઓ ડુબી જતા 12 વિદ્યાર્થીઓ ઉપરાંત 2 શિક્ષકો મોતને ભેટ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પરિવારને સંવેદના પાઠવી હતી, સહાયની જાહેરાત કરવામાં આવી વગેરે વગેરે.. તે બધુ આપણે જાણીએ. અહીંયા વાત રાજનેતાઓની નથી કરવી પરંતુ ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની કરવી છે. શાળાના સંચાલકોએ ઘટના બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે અમારા સ્ટાફે કહ્યું છતાં બોટવાળાઓએ વધારે લોકોને બેસાડ્યા.

જવાબદાર કોણ તે અંગેના ઉઠાવામાં આવે છે પ્રશ્ન  

અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ક્ષમતા કરતા વધારે લોકોને,વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. બસના, છકડાના એવા વીડિયો સામે આવતો હોય છે જેને લઈ એવા પ્રશ્નો થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાતી હોય છે તે બાદ આ ઘટના અંગે જવાબદાર કોણ તે અંગેના પ્રશ્નો થાય છે. વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ સ્કૂલના સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. 


શું આપી શાળાના સંચાલકે પ્રતિક્રિયા? 

પ્રતિક્રિયા આપતા શાળાના સંચાલક ઋષિ વાડિયાએ જણાવ્યું કે “બોટવાળાની બેદરકારીને કારણે આ થયુ છે. બોટમાં વધારે લોકોની વ્યવસ્થા ન હતી. ત્યારે અમારા સ્ટાફે તેમને ત્યારે જ કહ્યુ હતુ કે, આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું. અમારા માનસીબેન સ્ટાફમાં છે તેમણે કહ્યુ હતુ કે, આ બોટ ફુલ થઇ ગઇ છે હવે ના બેસાડશો. તો પણ તે લોકોએ કહ્યુ કે, આ તો અમારું રોજનું છે, તમે બેસાડો. લાઇફ જેકેટ માટે પણ મેડમ બોલ્યા હતા કે બધા બાળકોને લાઇફ જેકેટ આપો.” વધુમાં તેમણે કહ્યું કે, “આ લોકોએ બોટમાં બેસાડીને ચાલુ કરીને મોકલી આપી. આ દુખદ ઘટનામાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લે સુધી છીએ. આમાં અમારી વાલીઓને પણ રિકવેસ્ટ છે કે, આપણે સાથે રહીને આ લોકો સામે લડવું પડશે. આવી ઘટના ફરી કોઇ અન્ય શાળા સાથે ન થાય તે માટે અમને વાલીઓનો પણ સપોર્ટ જોઇએ છે.” મહત્વનું છે કે ગમે તેટલા નિવેદનો આપવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે પરંતુ તેમના માતા પિતાને તો તેમના સંતાન પાછા નથી મળવાના..!



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!