Vadodara : પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા MP Mansukh Vasavaને કરવો પડ્યો વિરોધનો સામનો, ખેડૂતોએ ઠાલવી પોતાની વેદના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 15:39:42

જનતાને આપણે ત્યાં સૌથી ઉપર માનવામાં આવે છે. જનતા વોટ કરીને ઉમેદવારને સાંસદ અથવા તો ધારાસભ્ય બનાવતા હોય છે. સાંસદ અને ધારાસભ્યને લોક પ્રતિનિધિ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પોતાને પડતી મુશ્કેલીની રજૂઆત ધારાસભ્યોને અથવા તો સાંસદને લોકો કરતા હોય છે પરંતુ જ્યારે તેમનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે લોકોના રોષનો સામનો પણ તેમને કરવો પડતો હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં થયેલી પૂર જેવી પરિસ્થિતિને કારણે લોકો ઘણા પ્રભાવિત થયા છે. જ્યારે જનપ્રતિનિધિ લોકો વચ્ચે પહોંચે છે ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે. પહેલા ધારાસભ્યને વિરોધનો સામનો કરતો પડતો હતો ત્યારે હવે સાંસદને વિરોધનો સામનો કરવો પડ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લોકોએ ઘેર્યા છે.     


લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે નેતાઓને 

નર્મદા ડેમમાંથી પાણી છોડયા બાદ ત્યાં આસપાસના કાંઠાના વિસ્તારોની હાલત શું હતી તેનાથી આપણે બધા વાકેફ છીએ. પૂરના કારણે લોકોના ઘરને, ઘરવકરીને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે અધિકારીને આ પૂરને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે  આ તો આભ ફાટવાને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ જ્યારે સ્થાનિકો સાથે નેતાઓ વાત કરવા પહોંચે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડે છે.  


લોકોએ સાંસદ મનસુખ વસાવાને ઘેરી ઠાલવ્યો રોષ 

ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ડેમમાં પાણીની આવક થઈ છે. અનેક ડેમોમાં જળસપાટી સતત વધારો થયો હતો.  નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના ગામોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ. ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. પૂરનું પાણી ઉતરતા સ્થાનિકોની મુલાકાત નેતાઓ, ધારાસભ્યો તેમજ સાંસદને કરવો પડી રહ્યો છે. ત્યારે પહેલા કુંવરજી હળપતિ પછી દર્શનાબેન અને હવે લોકોએ સાંસદ મનસુખ વસાવાનો વારો લીધો હતો. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જ્યારે સાંસદ ગયા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. 


પૂરને કારણે પાકને પણ થયું છે નુકસાન 

આખી વાત એવી હતી કે વડોદરા જિલ્લાના શિનોરના સૂરાશામળ ગામે પૂર પીડિત લોકોને મળવા માટે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા ત્યાંના લોકોએ સાંસદને જોઈને પોતાનો ગુસ્સો ઠાલવ્યો નદી કાંઠા વિસ્તારમાં ખેતીના તૈયાર પાક પૂરના પાણીમાં નિષ્ફળ થયો છે.જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે સાંસદ વિસ્તારની મુલાકાત લઈને આશ્વાસન આપે એ પહેલા જ ખેડૂતોએ તેમને ઘેરીને પોતાને થયેલા નુ્કસાનને લઈ રોષ ઠાલવ્યો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!