Vadodara Loksabha Seat : Congress ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઉભા થયા ડખા! Congressના નેતાની પોસ્ટને કારણે હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-03 18:08:43

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે-બે વખત જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રસને હજી મુરતિયો મળતો નથી. જો કે, કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે. કોંગ્રેસના જ એક નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. ત્યારે સામે એક કોમેન્ટ થઈ કે, પૈસા લઇને ઘરે બેસી જાય, એવાને ટિકિટ ન આપતા..... 

કોંગ્રેસમાં જોવા મળ્યા આંતરિક ડખા!

ગુજરાત ભાજપના આંતરિક વિવાદો અને અસંતુષ્ટિના ડખાઓ જોઈને ગેલમાં આવેલી કોંગ્રેસ કદાચ એ વાતથી અજાણ હશે કે, તેમની પાર્ટીમાં પણ આવા જ ડખા ચાલી રહ્યા છે. કારણ કે, હવે તો કોંગ્રેસ પોતાના લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરે તેના પહેલા જ અસંતોષની લાગણી જોવા મળી છે. વડોદરામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં કકળાટ શરુ થયો છે... વડોદરા કોંગ્રેસના આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પાર્ટીને ટકોર કરી છે. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ઘોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતાં હડકંપ મચી ગયો છે. 


સોશિયલ મીડિયા પર છેડાયો વોર!

આ પોસ્ટમાં અમિત ઘોટીકરે જણાવ્યું કે, "લોકસભા ટીકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે" અમિત ગોટીકરે આ પોસ્ટમાં શક્તિસિંહ ગોહીલ, અમિત ચાવડા, ભરત સોલંકીને પણ ટેગ કર્યા હતા. ત્યારબાદ અમિત ઘોટીકરની આ પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું, "મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડૂને હટાવો." આ સાથે જ કોંગ્રેસના અન્ય આગેવાનો પણ સોશિયલ મીડિયા પર ઉમેદવારોને લઈને પોસ્ટ કરવા લાગ્યા.... તો કોંગ્રેસના નેતા અમિત ઘોટીકરે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે, મને ટિકિટ આપશો તો મને પાર્ટીનો 1 પૈસો પણ જોઇતો નથી... 


શું લખ્યું સોશિયલ મીડિયા પર ?

હેમંત કોલેકરે કોમેન્ટમાં લખ્યું છે કે, જેણે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનાં કાવતરાં ભૂતકાળમાં કર્યાં હોય તે તપાસ કર્યાં પછી ઉમેદવાર મૂકશો નહીં, તે પાછા સનમ હમ ડૂબે તો તુમે લે ડૂબે ડાયલોગ..... કેટલાકે તો એવું પણ લખી દીધું કે, પૈસા લઈને ઘરે બેસી જાય...એવાને ટિકિટ ન આપતા.. તો એક યુઝરે ચંદ્રકાંત શ્રીવાસ્તવને લડાવવા જોઇએ તેવી વાત કરી, તેની સામે પણ કેટલાક લોકોએ કોમેન્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો એક યુઝરે લખ્યું કે, એ લીડર છે જે સંગઠન અને પાર્ટી બંનેને સંયમથી અને સારી રીતે સંભાળી શકે છે. સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ તરીકે મારું આ અનુમાન છે.


સોશિયલ મીડિયા પર ટિકીટ વોર શરૂ થઈ ગયો

તો વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો, તે પહેલાં સોશિયલ મીડિયા પર ટિકિટ વોર શરૂ થઈ ગઇ છે, ત્યારે હવે કોંગ્રેસ વડોદરામાં કોને પોતાનો ચહેરો બનાવે છે, તેના પર સૌ-કોઈની નજર છે. યુવા કે અનુભવી, આયાતી કે કોઈ નવા જ ઉમેદવારને તક મળશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે....



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.