Vadodara : જનતા વતી જમાવટે Dr.Hemang Joshiઅને Jashpalsinh Padhiyarને કર્યો તેમનું વિઝન જાણવા ફોન. જાણો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-03 17:14:19

લોકસભા બેઠક માટે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... લોકશાહીના આ મહાપર્વની ઉજવણી નાગરિકો મતદાન કરીને કરવાના છે... મતદાન કરતી પહેલા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા મતદાતાઓ દ્વારા.. તેમના ઉમેદવારો તેમના માટે શું કરશે આગામી પાંચ વર્ષ તે જાણવાની ઈચ્છા મતદાતાઓને હોતી હોય છે.. ત્યારે  જમાવટે જનતા વતી વડોદરાના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી હતી.. વડોદરામાં ભાજપે ડો. હેમાંગ જોષીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે.

શું કહ્યું ભાજપના ઉમેદવારે? 

વડોદરા લોકસભા બેઠક ઉમેદવારને લઈ ચર્ચામાં આવી હતી... ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસમાં પહેલી વાર જાહેર કરેલા ઉમેદવારને બદલ્યા હતા.આ બેઠક પર પહેલા ટિકીટ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી પરંતુ તે બાદ આ ટિકીટ ડો.હેમાંગ જોષીને આપવામાં આવી હતી. જમાવટની ટીમે હેમાંગ જોષીનું વિઝન જાણવા માટે ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે 2029માં વિકસીત વડોદરાની ઝાંખી જોવા આવજો.. તેમણે વડોદરામાં રહેલા વિકાસના સ્કોપને ગણાવ્યા.. શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરશે , આરોગ્ય ક્ષેત્રે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે તે વિકાસ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. 



કોંગ્રેસના ઉમેદવારનું છે આ વિઝન

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને જ્યારે તેમનું વિઝન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપના શાસન પર પ્રહારો કર્યા હતા.. લોકોને પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું... વ્યવસ્થાના અભાવને કારણે વડોદરાના લોકોને પાણી નથી મળી રહ્યું. જો તે જીતશે તો તે પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરશે તેવી વાત તેમણે કરી હતી.. તે સિવાય તેમણે પોતાની વાતમાં હરણી બોટ લેકની ઘટનાને યાદ કરી હતી... ત્યારે જોવું રહ્યું કે વડોદરાની જનતા કોને સંસદ સભ્ય બનાવે છે?    



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.