Vadodara: પાદરાની ONEIRO LifeCare કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, 3 લોકો જીવતા ભૂંજાયા


  • Published By :
  • Published Date : 2024-01-31 19:29:04

રાજ્યની GIDCઓમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટનાઓથી મોતના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. જેમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એકલબારા ગામ નજીક આવેલ ઓનીરો લાઈફકેર કંપનીના પ્લાન્ટમાં જબરસ્ત વિસ્ફોટ થયો છે. આ ગોઝારી ઘટનામાં 3 કામદારોના મોત થયા છે જ્યારે 4 શ્રમિકોને ઈજા પહોંચી છે. મૃતક ત્રણેય કામદારો કોન્ટ્રાક્ટ પર કંપનીમાં કામ કરતા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ દુર્ઘટના કેવી રીતે બની તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ ત્રણ લોકો જીવતા ભૂંજાયા


મળતી માહિતી મુજબ, ઓનેરો કેમિકલ કંપનીના એમ ઇ પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.  દુર્ઘટનાને પગલે ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં કલ્પેશ બી. જાદવ, ઠાકુર આર. પરમાર, નરેન્દ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે


ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા


પાદરાના એકલબારા ગામ પાસે આવેલ ઓનીરો લાઈફકેર કંપની માં આજે પ્લાન્ટમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.પ્લાન્ટમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારો ગંભીર રીતે ઇર્જાગ્રસ્ત થતા તમામ ઇર્જાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગંભીર ઇર્જાગ્રસ્ત કોન્ટ્રાકટના ત્રણ કામદારોના મોત નીપજ્યું હોવાનું એકલબારા ગામના સરપંચે જાણકારી આપી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.